Site icon

કાશ્મીરમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જારી, ઘાટીમાં આ સેવા ફરી એકવાર બંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શનિવાર

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમા લોકોના એકત્રિત થવા પર લગાવાયેલી પાબંદી જારી છે.

અધિકારીઓએ જણાવ્યું કે અહીં હૈદરપુરા વિસ્તારમાં ગિલાનીના આવાસ સુધી જનારા માર્ગ બંધ છે અને લોકોની અવરજવર રોકવા માટે અવરોધક લગાવાયા છે.

કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. 

ઈન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ ટેલિફોન સેવાઓને બે દિવસ સુધી બંધ રાખ્યા બાદ શુક્રવારે રાતે ફરી શરૂ કરવામાં હતી. જોકે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને શનિવારે સવારે ફરીથી બંધ કરી દેવાઈ છે.

ઉલેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી અલગતાવાદી અભિયાનનું નેતૃત્વ કરનાર અને પાકિસ્તાન સમર્થક અલગાવવાદી નેતાને તેમના આવાસ નજીક એક મસ્જિદમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા.

 સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સી CBIની કાઢી ઝાટકણી, પેન્ડીંગ કેસ અને ચુકાદા થયેલા કેસનું માગ્યું લિસ્ટ; જાણો વિગતે

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version