Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીએ ગોરખપુરને આપી ડબલ ભેટ, આટલા કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું કર્યું લોકાર્પણ, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

વડાપ્રધાન મોદી ગોરખપુરમાં ૧૧૨ એકર ક્ષેત્રમાં ફેલાયેલી છૈંૈંસ્જીનું પણ ઉદ્ધાટન કર્યુ. વર્ષ ૨૦૧૬માં ઁસ્ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેની સમકક્ષ, ૈંઝ્રસ્ઇ નું પ્રાદેશિક કેન્દ્ર પણ મ્ઇડ્ઢ મેડિકલ કોલેજ, ગોરખપુરમાં પૂર્ણ થયું છે. મોદીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં યુરિયા ૬૦-૬૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. તે જ સમયે, યુરિયા પણ ભારતમાં સસ્તું વેચાઈ રહ્યું છે. એ જ રીતે ભારત ખાદ્યતેલ ખરીદવા માટે કરોડો રૂપિયા વિદેશમાં મોકલે છે. ભારત કાચા તેલ પર પણ ૫-૭ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. અમે ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ભાર મૂકીને આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં બાયોફ્યુઅલ બનાવવા માટે ઘણી ફેક્ટરીઓમાં કામ ચાલી રહ્યું છે.નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. ઁસ્ લગભગ ૯,૬૦૦ કરોડના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટ્‌સમાં સૌથી મહત્વપૂર્ણ ગોરખપુરની ખાતર ફેક્ટરી છે, જેની કુલ કિંમત ૮૬૦૩ કરોડ છે. આ સિવાય ઁસ્ મોદીએ ગોરખપુરમાં છૈંૈંસ્જી અને ઇસ્ઇઝ્રના ટેસ્ટિંગ સેન્ટરનું પણ ઉદ્‌ઘાટન કર્યું. મોદીએ ગોરખપુરની ખાતર ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યુ તે ૬૦૦ એકર વિસ્તારમાં બનેલી ખાતર ફેક્ટરીમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન કરશે. ઁસ્ નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ખાતરની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો અને આ ફેક્ટરી નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થઈ ગઈ છે. મોદીએ લગભગ ૬૦૦ એકર વિસ્તારમાં હિન્દુસ્તાન ફર્ટિલાઇઝરના નામે બનેલી આ ફેક્ટરીને આજે રાષ્ટ્રને સમર્પિત કરી. જેમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન થશે. આનાથી આ વિસ્તારના ખેડૂતોને ફાયદો તો થશે જ, સાથે સાથે રોજગારીની સંભાવનાઓને આગળ વધારવામાં પણ તે મોટી ભૂમિકા ભજવશે.

ભારત : નાગાલેન્ડમાં 14 નાગરિકોનાં મોત બદલ સૈન્ય ટુકડી સામે પોલીસે કરી આ કાર્યવાહી. જાણો વિગતે  

Sasan Gir Lion Sighting અનોખો નજારો.. માત્ર પાંચ ફૂટનાં અંતરે ખેડૂત અને સિંહ પરિવાર આગળ પાછળ ચાલી રહ્યાં છે, જુઓ વાયરલ વીડિયો
Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Exit mobile version