Site icon

મથુરામાં કલેક્ટરે પહેરેલા ચશ્મા લઈને વાંદરો ભાગ્યો- આ રીતે પાછા મળ્યા-જુઓ રસપ્રદ વિડીયો 

News Continuous Bureau | Mumbai

હાલમાં શ્રી કૃષ્ણની નગરી(Sri Krishna) વૃંદાવનમાં(Vrindavan) વાંદરાની ટીખળનો વીડિયો(Monkey prank video) સોશિયલ મીડિયામાં(social media) વાયરલ(Viral) થઈ રહ્યો  છે. અહીં એક વાંદરાને મથુરાના કલેક્ટર(Collector of Mathura) નવનીત સિંહ ચહલના(Navneet Singh Chahal) ચશ્મા ગમી ગયા. પોલીસ પ્રશાસન અને અધિકારીઓના(Police Administration and Officers) ઘણા પ્રયત્નો બાદ કલેક્ટરના ચશ્મા(Collector's Glasses) વાંદરા પાસેથી પાછા લેવામાં આવ્યા હતા. પરંતુ વાંદરો કોઈપણ હાલતમાં ચશ્મા પરત કરવા તૈયાર ન હતો. આ પછી નજીકની દુકાનમાંથી ફ્રૂટ મંગાવવામાં આવ્યા. આ જોઈને વાંદરો નજીક આવ્યો અને ફળ લઈને ચશ્મા પરત કરીને ભાગી ગયો. આ રીતે ૫ મિનિટ પછી કલેક્ટરને તેમના ચશ્મા પાછા મેળવી શક્યા. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં કલેક્ટર નવનીત ચહલ બાંકે બિહારી મંદિરમાં(Bihari temple) થયેલા અકસ્માત બાદ માહિતી મેળવવા વૃંદાવન પહોંચ્યા હતા. તેમની સાથે એસએસપી અભિષેક યાદવ(SSP Abhishek Yadav) અને અન્ય અધિકારીઓ પણ હતા. કલેક્ટર-એસએસપી રાધા વલ્લભ મંદિરની(Collector-SSP of Radha Vallabh Temple) નજીકથી રસ્તા પર જઈ રહ્યા હતા. સરકારે રચેલી સમિતિમાં સામેલ પૂર્વ ડીજીપી સુલખાન સિંહ(DGP Sulkhan Singh) અને આગ્રાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલ(Agra Divisional Commissioner Gaurav Dayal) રવિવારે નિરીક્ષણ માટે આવવાના હતા. તે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) નવનીત સિંહ ચહલ, એસએસપી અભિષેક યાદવ અને અન્ય અધિકારીઓ સાથે બાંકે બિહારી મંદિરની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારબાદ વૃંદાવનમાં એક વાંદરાએ જિલ્લા મેજિસ્ટ્રેટના ચહેરા પરથી ચશ્મા ઉતારી નાખ્યા. ડીએમ કંઈ સમજે તે પહેલા વાંદરો ચશ્મા લઈને ભાગી ગયો. ડીએમના ચશ્મા લીધા પછી વાંદરો કોઈ પણ બેદરકારી વગર ઉપરના માળે ચઢી ગયો. જિલ્લા મેજિસ્ટ્રેટનો આખો સ્ટાફ વાંદરાને જાેતો જ રહી ગયો. સુરક્ષાકર્મીઓએ વાંદરાના ચશ્મા પરત લેવાના પ્રયાસો શરૂ કર્યા. પણ વાંદરો તો વૃંદાવનનો વાંદરો હતો, તે ક્યાં સહેલાઈથી માને તેમ હતો. વાંદરાએ ચશ્મા પાછા આપ્યા નહીં ત્યાં સુધી કલેક્ટર અને એસએસપીને પરસેવો છૂટી ગયો. ઘણી મહેનત પછી જ્યારે ફ્રૂટ આપ્યું ત્યારે વાંદરો ચશ્મા છોડીને ભાગી ગયો. વાંદરા પાસેથી ચશ્મા પરત મેળવ્યા બાદ કલેક્ટર સાહેબે ચશ્મા વગર નિરીક્ષણ કર્યું.

આ સમાચાર પણ વાંચો : આરજેડીના સુપ્રીમો લાલુ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જશે આ દેશમાં- પરિવારજનો લઈ રહ્યા છે ડોક્ટરોની સલાહ

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version