Site icon

મોરબી હોનારત – ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર- રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

News Continuous Bureau | Mumbai

મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ રવિવારે મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે. જોકે આ આંકડો સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

હાલ દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવાર ની રજા હોવાથી અનેક લોકો અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ કહેવાય છે. 

આ સમાચાર પણ વાંચો :  ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version