Site icon

BMC એ ફરીથી નિયમો બદલ્યાં, 3 થી વધુ કેસ સાથે મકાન સીલ પરંતુ હિલચાલ પર કોઈ પ્રતિબંધ નહી.. જાણો વિગતો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

બીએમસી એ પોતે આપેલા અજીબો ગરીબ ફેસલાને જાતે જ 3 દિવસ બાદ ફેરવી તોળ્યો છે. કાંદીવલી, બોરીવલી અને દહિસર વિસ્તારમાં કોવિડ -19 કેસોમાં આવેલા ઉછાળાને પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર ઇમારતને સીલ કરવા માટેનો પ્રોટોકોલ સુધારવામાં આવ્યો છે. “જો કોઈ બિલ્ડિંગમાં ત્રણ કે તેથી વધુ કોવિડ -19 કેસ નોંધાશે, તો પછી તે આખી બિલ્ડિંગને સંપૂર્ણ સીલ કરાશે અને "જો ત્રણથી ઓછા કેસ નોંધાશે, તો અધિકારીઓ બિલ્ડિંગના ચોક્કસ માળ- ફ્લોર ને જ સીલ કરશે.. પરંતું અન્ય રહેવાસીઓની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં, એમ આર સાઉથના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે પાછલા અઠવાડિયે જારી કરાયેલા બીએમસીના નિર્ણય અંગે, સ્થાનિક નાગરિકો અને જે તે વૉર્ડ ના રાજકીય નેતાઓએ ફરિયાદો નોંધાવી હતી. ત્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું છે..

અગાઉ "એક સંપૂર્ણ બિલ્ડિંગને સીલ કરવી તેમજ એક જ કોવિડ -19 નો કેસ નોંધાય તો પણ 14 દિવસ સુધી તેના તમામ રહેવાસીઓની હિલચાલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો."

ઉલ્લેખનીય છે કે એક કેસના લીધે આખા માળના કે આખી બિલ્ડીંગના લોકોને 14 દિવસ સંપૂર્ણ હોમ કવોરોન્ટીન કરે તો તેઓને કામ પર જવા અથવા કરિયાણાની ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. અનેક કચેરીઓ અને ધંધા ફરી શરૂ થયા છે. જો આખી ઇમારત સીલ કરી દેવામાં આવે તો કોઈ બહાર નીકળી શકે નહીં, જેના બદલામાં તેમના કામ / વ્યવસાયને અસર થાય.

નોંધપાત્ર વાત એ છે કે કાંદિવલીમાં 526 ઈમારતો ને સીલ કરી છે, બોરીવલીમાં 673 અને દહિસરમાં 213 મકાનો છે. આ સીલબંધ ઇમારતોમાં કુલ મળીને 2,600 થી વધુ કેસ નોંધાયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે સુધારેલી માર્ગદર્શિકા બુધવારથી આર દક્ષિણ (કાંદિવલી), આર સેન્ટ્રલ (બોરીવલી) અને આર ઉત્તર (દહિસર) વોર્ડમાં લાગુ કરવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version