Site icon News Continuous Bureau | Mumbai

BMC ચૂંટણી પહેલા CM એકનાથ શિંદેનો મોટો ખેલ? આ અંડરવર્લ્ડ ડોનનો ભાઈ સેંકડો કાર્યકરો સહિત શિવસેનામાં જોડાયો..

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા CM એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ચિન્હ ધનુષ આપવામાં આવ્યું છે, ત્યારથી શિવસેનામાં જોડાવા ઇચ્છુક લોકોની કતાર લાંબી થઈ ગઈ છે.

Mumbai gangster Arun Gulab Gawli’s family members join Eknath Shinde’s Sena

BMC ચૂંટણી પહેલા CM એકનાથ શિંદેનો મોટો ખેલ? આ અંડરવર્લ્ડ ડોનનો ભાઈ સેંકડો કાર્યકરો સહિત શિવસેનામાં જોડાયો..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા CM એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ચિન્હ ધનુષ આપવામાં આવ્યું છે, ત્યારથી શિવસેનામાં જોડાવા ઇચ્છુક લોકોની કતાર લાંબી થઈ ગઈ છે. અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીનો ભાઈ, જેને ડેડીના નામથી બોલાવવામાં આવે છે અને તેની પત્ની, જે ભૂતપૂર્વ કોર્પોરેટર હતી, એ પણ આ યાદીમાં સામેલ છે.

Join Our WhatsApp Channel

દગળી ચાલ ડોન અરુણ ગવળીના ભાઈ પ્રદીપ ગવળી અને ભૂતપૂર્વ કોર્પોરેટર વંદના ગવળીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સમક્ષ જાહેરમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. શનિવારે મોડી રાત્રે દગડી ચાલના સેંકડો કાર્યકરોએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. વર્ષા ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાને શિવસેનાના સેંકડો કાર્યકરો શિવસેનામાં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Nigeria Violence: મધ્ય નાઈજીરિયામાં ભીષણ હિંસા… ડાકુઓના હુમલામાં 160થી વધુના મોત.. આટલાથી વધુ લોકો થયા ઘાયલ.. જાણો શું છે આ મામલો.

આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું,’સામાન્ય લોકો જે તમારા વિસ્તારમાં કામ જોવા માંગે છે. તેમની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગે છે, જે તમારા નેતૃત્વમાં પૂર્ણ થાય તેવો વિશ્વાસ મૂકી રહ્યા છીએ. છેલ્લા છ-સાત મહિનામાં અમે બાળાસાહેબના વિચારો પર આધારિત સરકાર બનાવી છે. આ પછી રાજ્યના જિલ્લા-જિલ્લા, તાલુકા-તહેસીલ, શહેર-શહેર અને ગામડાઓમાં લોકો,કાર્યકરો,પક્ષના અધિકારીઓ,નેતાઓ શિવસેનામાં જોડાઈ રહ્યા છે. એટલું જ નહીં, કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશભરના પ્રદેશ પ્રમુખો પણ રાજ્ય બહારથી શિવસેનામાં જોડાઈ રહ્યા છે.

સોલાપુરમાં ભાજપની સાથે પ્રહાર પાર્ટીના કાર્યકરો ઠાકરે જૂથમાં જોડાયા હતા
બીજી તરફ સોલાપુરમાં પ્રહાર પાર્ટીના કાર્યકરો ભાજપની સાથે ઠાકરે જૂથમાં જોડાયા છે. જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. પાર્ટીમાં કાર્યકરોની એન્ટ્રીને કારણે સોલાપુરના રાજકારણ પર તેની અસર પડશે કે કેમ તે આગામી ચૂંટણીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે.

આ સમાચાર પણ વાંચો : Tiger On Wall : ટાઈગર ઈઝ હીયર.. દીવાલ પર માર્યા આંટા-ફેરા, ફરમાવ્યો આરામ, નજારો જોવા ઉમટી લોકોની ભીડ..

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version