ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર સરકારે બુધવારે મોડી રાત્રે જે કાયદો બહાર પાડયો તે મુજબ હવે પ્રાઇવેટ વાહનો રસ્તા પર નહીં ઉતરી શકે. જે કોઈ પ્રાઈવેટ વાહન રસ્તા પર દેખાશે અને કારણ પૂછતાં સંતોષ નો જવાબ નહીં મળે તેને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ કાયદામાંથી મેડિકલ ઉપયોગ માટે તેમજ ઈમરજન્સી માટે જે કોઈ વ્યક્તિ બહાર નીકળશે તેને છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કર્મચારી તેમજ અન્ય ઇમરજન્સી સુવિધા માટે બહાર નીકળનાર લોકોને પણ અપવાદ રૂપ ગણવામાં આવ્યા છે.
ખાનગી બસને આદેશ કરવામાં આવ્યો છે કે તેમણે ટ્રાવેલિંગ સમયે 50% થી વધુ લોકોને જો વાહનમાં એન્ટ્રી આપી તો તેમને દંડ ફટકારવામાં આવશે.
મુંબઈ વાસીઓ ની ટ્રેન માં એન્ટ્રી બંધ. સરકારે આદેશ જાહેર કર્યો.
આમ હવે પ્રાઇવેટ વાહનો ઓછા દોડશે…
