Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે માઠા સમાચાર: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા બાદ, જાણો સીએનજી માં કેટલા રૂપિયા વધ્યા…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 જુલાઈ 2020

શનિવારથી એટલે કે આજથી મુંબઈ મહાનગર પાલિકા વિસ્તારમાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવશે, જેની અસર જાહેર પરિવહન અને સીએનજી થી ચાલતા ખાનગી વાહનો પર થશે. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સીએનજીનો ભાવ પંપ પર રૂ. 47.95 થી વધીને રૂ. 48.95 થશે.

આ સાથે જ ટેક્સી યુનિયને મિનીમમ 22 રૂ. થી વધારી 25 રૂપિયા કરવાની માંગ કરી છે, સાથે જ ઓટો વાળાઓ પણ મીનિમમ 18 રૂપિયા થી વધારીને 20 રૂ. કરવાની માંગ કરી છે. તેમની દલીલ છે કે ટેક્સી અને રિક્ષામાં પાછલાં 3 વર્ષથી તેઓએ ભાડામાં કોઈ વધારો કર્યો નથી. જ્યારે CNG ના ભાવો અત્યાર સુધીમાં ઘણી વાર વધુ ચૂક્યાં છે.

સ્વાભાવિકપણે અત્યારે લોકડાઉનમાં છૂટ આપવાને કારણે ઘરેલું ગેસમાં અને ઔદ્યોગિક ગેસમાં માંગ વધી છે. ઉલ્લેખનીય છે કે નેચરલ ગેસ એટલે કે ઘરગથ્થુ વપરાશ માટે પૂરા પાડવામાં આવતા (પીએનજી) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને નેચરલ ગેસ માટેના કાચા માલના ભાવમાં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે ભાવ વધારો નોંધાયો છે.

અમેંરિકા, રશીયા અને કેનેડામાં ગેસ સરપ્લસમાં સરેરાશ દરને આધારે નેચરલ ગેસના ભાવ દર છ મહિને નિર્ધારિત કરવામાં આવે છે. જ્યારે ભારત ઘરેલું દરથી બમણા ભાવ ચૂકવીને જરૂરિયાત ના 50 % થી વધુનો ગેસની આયાત કરે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version