Site icon News Continuous Bureau | Mumbai

 આર્થિક સંકટમાં આવી પડેલી રાજ્ય સરકારે મુંબઈના લોકોને આ ટેક્સ ભરવા માટેની નોટિસ આપવાની શરૂ કરી. તમને પણ આવશે નોટિસ. જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ફેબ્રુઆરી 2021

ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સરકારને કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે. તેમજ કર પેટે ઘણા ઓછા પૈસા પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ઝડપથી પૈસા વસૂલ કરવા માટે સરકારે હવે લોકોને ટેક્સની નોટિસ આપવાની શરૂ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતી હાઉસિંગ સોસાયટીઓ તેમજ પ્લોટના માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવા માટેની નોટિસ પાઠવી છે.આ નોટિસ તબક્કાવાર રીતે એક પછી એક લોકોને પ્રાપ્ત થઇ રહી છે. લોકોને મળેલી નોટિસમાં તેમણે અગાઉ ભરવાના બાકી રહેલા પૈસા તદુપરાંત પેનલ્ટી પણ લગાડવામાં આવી છે.

શું છે નોન એગ્રીકલ્ચર ટેક્સ?

મુંબઈ શહેરને બાદ કરતા અન્ય તમામ જગ્યા પર જમીન માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવો પડે છે. આ રકમ જમીન પર મોજુદ કબજેદારો તેમજ માલિકોને ભરવી પડે છે. આ રકમ ઘણી મામુલી હોય છે પરંતુ જો આ રકમ સમયસર ન કરવામાં આવે તો જમીન માલિકને આ રકમ પર ઘણી મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે.

રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે આથી તમામ મુંબઈવાસીઓને એક પછી એક નોટિસ મળશે.

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version