Site icon

મુંબઈગરા માટે ખુશખબર, હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી; જાણો કેવી રીતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર.

બસ, ટ્રેન અને મેટ્રોમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. મુંબઈવાસીઓ એક જ કાર્ડ પર બેસ્ટ, રેલવે અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. BEST ઉપક્રમ મુસાફરી માટે 'નેશનલ કોમન મોબિલિટી કાર્ડ' સુવિધા શરૂ કરશે. જેથી મુસાફરો એક જ કાર્ડનો ઉપયોગ કરીને  લોકલ ટ્રેન, બેસ્ટ બસ અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. આ સુવિધા આ મહિનાના અંત સુધી બેસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

અહીં ઉલ્લેખનીય છે કે, દરરોજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અનેક લોકો પોતપોતાના કામકાજ અર્થે મુંબઈ આવે છે. આ પ્રવાસ દરમિયાન તેમને ટિકિટ માટે લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે તેમનો ઘણો સમય વેડફાતો હોય છે. આ કારણોસર બેસ્ટે આ સુવિધા આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2020 માં આવી સિંગલ કાર્ડ સિસ્ટમ સુવિધા લાગુ કરવા માટે બેસ્ટ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ યોજનાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શેરબજારમાં કડાકો! સપ્તાહના પહેલા ટ્રેન્ડિંગ દિવસે જ ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો, સેન્સેક્સ 1700થી વધારે પોઈન્ટ તૂટીને આટલા હજારની નીચે, તો નિફ્ટી પણ….

બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું કે આ કાર્ડ માટે બેંક સાથે કરાર કરવામાં આવશે. આ સિંગલ કાર્ડના ઘણા ફાયદા થશે. હવે મુંબઈકરોને ખિસ્સામાં વધુ રોકડ રાખવાની જરૂર નહીં પડે. કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટના પૈસા કાર્ડથી ચૂકવી શકાશે. જોકે આ માટે કાર્ડમાં પહેલાથી જ બેલેન્સ રાખવું પડશે. આ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરી શકાય છે. આ કાર્ડ દ્વારા વીજળી બિલ સહિત અન્ય બીલો ચૂકવી શકાશે.

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version