Site icon News Continuous Bureau | Mumbai

બકરી ઈદના દિવસે પ્રાણીઓની બલિ ન ચડાવવા એક મુસ્લિમ વ્યક્તિએ અનોખી યુક્તિ કરી; પ્રાણીઓના બચાવ માટે રાખ્યા ૭૨ કલાકના રોજા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

દેશભરમાં આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના તમામ ભાગોમાં આ દિવસે પ્રાણીઓની બલિ આપવાની રિવાજ પૂર્ણ કરાઈ રહ્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિ એવી છે જે અનોખી રીતે આ બલિદાન આપવાની પ્રથાનો વિરોધ કરી રહી છે. કોલકાતાના આ 33 વર્ષીય વ્યક્તિનું નામ અલ્તાબ હુસેન છે, જેણે તહેવાર દરમિયાન પ્રાણીઓનાં બલિદાનના વિરોધમાં 72 કલાક ઉપવાસ કર્યા છે.

પ્રાણીઓના બલિદાનનો વિરોધ કરતાં અલ્તાબે એક મીડિયા હાઉસને કહ્યું છે કે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાની આવી પરંપરાઓ બંધ કરવી જોઈએ. પ્રાણીનું બલિદાન જરૂરી નથી એ બતાવવા માટે મેં 72 કલાક ઉપવાસ કર્યા છે.અલ્તાબે 2014માં પ્રાણી અધિકારો માટે કામ કરવાની શરૂઆત કરી હતી, તે માંસાહારી ખોરાક ખાતો નથી અને ચામડાની બનાવટોનો પણ ઉપયોગ કરતો નથી.

અદાણીએ મુંબઈ ઍરપૉર્ટનો તાબો શું લીધો MNS પછી કૉન્ગ્રેસ અને શિવસેનાએ પણ અનાપશનાપ બયાનો આપ્યાં

ઉલ્લેખનીય છે કે અલ્તાબે ત્રણ વર્ષ પહેલાં તેનો ભાઈ બલિદાન આપવા માટે એક પ્રાણી ઘરે લાવ્યો હતો. એનો પણ જીવ બચાવ્યો હતો. આ પ્રાણીને જોઈને તે દુ:ખી થઈ ગયો અને પરિવારના સભ્યોનો વિરોધ કર્યો હતો.

Fake Currency Racket પાટણ પોલીસની મોટી સફળતા નકલી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ, રેકેટના મુખ્ય સૂત્રધારો ઝડપાયા!
Thane Water Cut થાણેમાં 48 કલાક પાણી પુરવઠો બંધ રહેશે, જાણો કયા વિસ્તારો પર થશે અસર
Nanda Devi Wildlife Discovery ઉત્તરાખંડના નંદા દેવી પાર્કમાં જોવા મળ્યા હિમાલયન થાર અને સાઇબેરિયન વિઝલ, 40 ટ્રેપ કેમેરા ખોલશે વન્યજીવોના નવા રહસ્યો
Mumbai Monsoon Rain મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં વરસાદની એન્ટ્રી, ગરમીથી લોકોને રાહત
Exit mobile version