Site icon

ઉત્તર પ્રદેશમાં ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ બનાનાર પરિવારનું ઘર કટ્ટરપંથીઓએ સળગાવ્યું. જાણો વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં, લગભગ ત્રણ મહિના પહેલા હિન્દુ ધર્મ તરફ વળેલા મુસ્લિમ વ્યક્તિના જીવંત પરિવારને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ શનિવારે રાત્રે કેટલાક શખ્સો તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને પરિવારને અંદરથી બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. જોકે, પરિવારના કેટલાક લોકો કોઈક રીતે પાછળનો દરવાજો ખોલવામાં સફળ થયા અને ત્યાંથી તેમના બાળકો સાથે છટકી ગયા હતાં. 

Join Our WhatsApp Community

આ અંગેની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી. ગામના સરપંચ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. 

નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલા આ પરિવાર હિન્દુ ધર્મમાં ફેરવ્યો હતો. આ ગામનો રહેવાસી મોહમ્મદ અનવર લગભગ ત્રણ મહિના પહેલા હિંદુ ધર્મ તરફ પાછો વળ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને દેવ પ્રકાશ પટેલ રાખ્યું. તેણે તેમના બાળકોના નામ પણ દેવનાથ, દીનદયાળ અને દુર્ગા દેવી રાખ્યા. સપ્ટેમ્બર 2020 માં, વૈદિક વિધિઓ મુજબ, તે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો હતો.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version