Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ બનાનાર પરિવારનું ઘર કટ્ટરપંથીઓએ સળગાવ્યું. જાણો વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં, લગભગ ત્રણ મહિના પહેલા હિન્દુ ધર્મ તરફ વળેલા મુસ્લિમ વ્યક્તિના જીવંત પરિવારને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ શનિવારે રાત્રે કેટલાક શખ્સો તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને પરિવારને અંદરથી બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. જોકે, પરિવારના કેટલાક લોકો કોઈક રીતે પાછળનો દરવાજો ખોલવામાં સફળ થયા અને ત્યાંથી તેમના બાળકો સાથે છટકી ગયા હતાં. 

Join Our WhatsApp Channel

આ અંગેની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી. ગામના સરપંચ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. 

નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલા આ પરિવાર હિન્દુ ધર્મમાં ફેરવ્યો હતો. આ ગામનો રહેવાસી મોહમ્મદ અનવર લગભગ ત્રણ મહિના પહેલા હિંદુ ધર્મ તરફ પાછો વળ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને દેવ પ્રકાશ પટેલ રાખ્યું. તેણે તેમના બાળકોના નામ પણ દેવનાથ, દીનદયાળ અને દુર્ગા દેવી રાખ્યા. સપ્ટેમ્બર 2020 માં, વૈદિક વિધિઓ મુજબ, તે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો હતો.

TMC Plea Disqualification MPs ૨૦ બાગી સાંસદો સામે કાર્યવાહી કેમ નહીં? ટીએમસી પહોંચી સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી
Maharashtra PUC fee hike મહારાષ્ટ્રમાં પીયુસી સર્ટિફિકેટ મોંઘું ટુવ્હીલર, થ્રીવ્હીલર અને કારના નવા ટેસ્ટિંગ ચાર્જિસ જાહેર..
Vande Bharat Western Ghats video જન્નત જેવું દ્રશ્ય! પશ્ચિમ ઘાટના ધુમ્મસભર્યા પર્વતોમાંથી પસાર થતી  વંદે ભારત ટ્રેનનો અદભુત વીડિયો વાયરલ, રૂંવાડા ઊભા થઈ જશે
Rahul Gandhi kiss from student પુણેમાં યોજાયેલા યુવા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને સ્ટેજ છોડતી વખતે એક વિદ્યાર્થીગણ તરફથી અણધારી આશ્ચર્યજનક ભેટ મળી
Exit mobile version