Site icon News Continuous Bureau | Mumbai

કાશી, અયોધ્યા અને મથુરા બાદ હવે આ ધાર્મિક સ્થળ બનશે કાલકલ્પ, સીએમ યોગીનું મોટું નિવેદન

Naimisharanya to undergo a facelift on the lines of Kashi, Ayodhya and Mathura: CM Yogi

News Continuous Bureau | Mumbai

કાશી, અયોધ્યા અને મથુરા બાદ હવે નૈમિષારણ્ય ધાર્મિક સ્થળ કાલકલ્પ બનશે. નગરપાલિકાની ચૂંટણી માટે સીતાપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની તરફેણમાં, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મેળાના મેદાન મિસરિખ ખાતે આયોજિત જાહેર સભામાં કહ્યું કે કાશી ચમક્યું છે, અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મથુરા-વૃંદાવનના કાયાકલ્પનું કામ ચાલી રહ્યું છે. હવે નૈમિષારણ્યનો વારો છે.

Join Our WhatsApp Channel

તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથ ધામની જેમ નૈમિષારણ્યના કાયાકલ્પ બાદ અહીં ધાર્મિક પ્રવાસન વધશે, જેના કારણે દરેક ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીની તકો ઉભી થશે.

યોગીએ કહ્યું, “સીતાપુર જિલ્લાનું પોતાનું ગૌરવ છે, વિશ્વનો સૌથી જૂનો ઈતિહાસ સીતાપુર જિલ્લાના નૈમિષારણ્યનો છે, આ સ્થળ હંમેશા અમારા માટે અત્યંત આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યું છે.”

ઉલ્લેખનીય છે કે નૈમિષારણ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 80 કિમી દૂર સીતાપુર જિલ્લામાં ગોમતી નદીના કિનારે સ્થિત એક પ્રખ્યાત હિંદુ તીર્થ છે. તે હજારો ઋષિઓના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. નૈમિષારણ્યના પૌરાણિક મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે ‘નૈમિષારણ્ય તીર્થ વિકાસ પરિષદ’ની રચના કરી છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમે ઉદ્ધવ ઠાકરે જૂથને આપી રાહત, શિંદે જૂથને નહીં મળે શિવસેનાની પ્રોપર્ટી પર હક, અરજી કરનારને પૂછ્યા આ તીખા સવાલ..

રાજ્યમાં યોજાઈ રહેલી નગરપાલિકાની ચૂંટણીને ‘દેવાસુર સંગ્રામ’ ગણાવતા તેમણે કહ્યું કે નૈમિષારણ્યની આ ભૂમિમાંથી મહર્ષિ દધીચિએ દૈવી શક્તિઓના વિજય માટે વજ્ર બનાવવા માટે પોતાના અસ્થિઓ આપ્યા હતા. યોગીએ કહ્યું કે આ ચૂંટણીમાં “ભ્રષ્ટાચારીઓ, બદમાશો, માફિયાઓ અને રાક્ષસોના રૂપમાં ગુનેગારોને પાઠ ભણાવવાનો” સમય પણ છે.

તેમણે કહ્યું કે ‘વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ’ હેઠળ સીતાપુરની ડૂરીની નિકાસ કરવામાં આવી રહી છે અને સીતાપુરની ડૂરી અમેરિકા, જાપાન અને યુરોપમાં ઘરે ઘરે પહોંચી રહી છે.

મુખ્યમંત્રીએ મતદારોને અપીલ કરી હતી કે “ભાજપને ભેદભાવ વિના ગુનાખોરી અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા પ્રદાન કરવા અને શહેરોને કચરાપેટીને બદલે સ્માર્ટ સિટીમાં પરિવર્તિત કરવા માટે મત આપો”.

આ પ્રસંગે રાજ્યના જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદ હાજર રહ્યા હતા. જિલ્લાની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ માટે ભાજપના અધિકૃત ઉમેદવારો પણ મંચ પર હાજર હતા.

આ સમાચાર પણ વાંચો :  આજનું આયુર્વેદિક જ્ઞાન : કાળી જીરી એ ઘણી બીમારીમાં ઉત્તમ આયુર્વેદિક દવા છે, જાણો તેના ફાયદાઓ…

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version