Site icon

ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભાજપના સાંસદ વરુણ ગાંધીને શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે પોતાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ડિનર માટે આમંત્ર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ત્રણ કલાક ચર્ચા ચાલી હતી, જે રાજ્કીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
દિલ્હીમાં વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મંગળવારે આ બેઠક થઈ હતી. સંજય રાઉતના ડીનરના આમંત્રણનો વરુણ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. બંને વચ્ચે ત્રણ કલાક લાંબી શું ચર્ચા થઈ તેની વિગત હજી બહાર આવી નથી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 25 વર્ષ સુધી યુતીમાં સાથે રહેલા શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રની 2019ની ચૂંટણી બાદ ખટરાગ થયો હતો. બંને પક્ષ હવે એકબીજાના  જાની દુશ્મનની માફક વર્તી રહ્યા છે. એકબીજા પર ટીકા કરવામાં કોઈ કચાશ છોડતા નથી. ત્યારે રાષ્ટ્રીય સ્તરે વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મહત્વની બેઠકને પગલે શું રંધાઈ રહ્યું છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો: રાહતના સમાચાર. આ તારીખથી મહારાષ્ટ્રમાં કોરોનાના તમામ નિયંત્રણોમાંથી મળશે મુક્તિ, જોકે આ નિયમ યથાવત રહેશે; જાણો વિગતે  

અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વરુણ ગાંધી ભાજપથી નારાજ છે. વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં પિલીભીતના સાંસદ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમણે ટ્વીટર પર પોતાના એકાઉન્ટમાંથી ભાજપનું નામ હટાવી દીધું હતું. એટલું જ નહીં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાનથી તેઓ ખેડૂતોના મુદ્દા પર ભાજપને સવાલ કરી રહ્યા છે. તેથી બહુ જલદી તેઓ ભાજપથી છેડો ફાડે એવું પણ ચર્ચાઈ રહ્યુ છે. એવામાં સંજય રાઉત સાથેની તેમની ડીનર ડિપ્લોસી બાદ ફરી તેઓ ભાજપને છોડવાના હોવાની અનેક અફવાએ ફરી જોર પકડયું છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version