Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના આતંક વચ્ચે તંત્રની ઊંઘ હરામ, રાજ્યમાં અત્યાર સુધી આટલા હજાર પોલીસકર્મીઓ થયા સંક્રમિત; જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ચાર દિવસ બાદ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે મુંબઈ શહેરમાં ૧૬,૪૨૦ નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે પોઝિટિવિટી રેટ પણ ૧૮.૭ ટકાથી વધીને બુધવારે ૨૪.૩ ટકા થઈ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ નવા કેસોમાં ૩૫.૭ ટકાનો વધારો નોંધાયો છે. 

વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જોખમ ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બુધવારે વધુ ૨૬૪ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૨૧૪૫  પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં માત્ર મુંબઈના જ ૧૨૬ પોલીસ જવાનોના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાથી ૨૨ લોકોના મોત થયા હતા. જ્યારે બુધવારે આ સંખ્યા વધીને આંકડો ૩૨ પર પહોંચી ગયો હતો. 

કોરોનાને રોકવા રસી છે કારગર હથિયાર, શહેરમાં અત્યાર સુધીમાં આટલા ટકા મૃત્યુ રસી ન લીધી હોવાના કારણે થયા, મુંબઈના મેયરનો દાવો

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, બાળકો માટે રસીકરણ, બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના રસીકરણને કારણે રાજ્યમાં રસીની અછત વર્તાઈ રહી છે. અમે કેન્દ્ર સરકાર પાસે ૫૦ લાખ કોવશિલ્ડ અને ૪૦ લાખ કોવેક્સીન ડોઝ માગ્યા છે. 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version