ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
પહેલા કોરોના અને હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
આ દરમિયાન ખૂબ જ ચિંતાની વાત એ છે કે, મહારાષ્ટ્રનાં ડોમ્બિવલી, કલ્યાણમાં વિદેશથી આવેલા લગભગ 109 લોકો ગુમ છે.
આ યાત્રીઓ વિશે હાલમાં કંઈ પણ પ્રકારની જાણકારી મળી નથી અને તે લોકોના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે.
મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ વિજય સૂર્યવંશીએ મીડિયાને જણાવ્યું કે 109 વિદેશી પ્રવાસીઓ કે જેઓ તાજેતરમાં થાણે જિલ્લાની ટાઉનશિપમાં પરત ફર્યા હતા, જેમની જાણકારી મળી નથી.
તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે, જ્યારે કેટલાકના એડ્રેસ ખોટા હોવાનું જાણવા મળ્યું છે.
