Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતથી આવનાર ભારે વાહનો આ જગ્યાએ રોકવામાં આવે તેવી સંભાવના, વેપારીઓને થશે અસર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

થાણે-મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાના સમાધાન હેતુ ભારે વાહનોને થાણે શહેરમાંથી પસાર થવા માટે સમય પ્રતિબંધ લાદવાની દરખાસ્ત છે. એ સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રે ગુજરાતથી આવતાં વાહનોના પ્રવેશ માટેની યોજનાને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર દરરોજ 7,000થી 8,000 ભારે વાહનો આવે છે. જોકે આમાંનાં ઘણાં વાહનો ભિવંડી, વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તાર તેમ જ બોઇસર, પાલઘર ખાતેના ઔદ્યોગિક વિસ્તારના માલપરિવહન માટે હોય છે. થાણે, JNPT વિસ્તારમાં જતાં બાકીનાં વાહનોને આ વાહનોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ વિના ચોક્કસ સમયે એન્ટ્રી આપવાનું આયોજન છે.

આ નવી યોજનામાં થાણે-મુંબઈ જતાં ભારે વાહનોને સવારે ચાર-પાંચ કલાક માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને દપચારી ખાતે વાહનોને રોકવામાં આવશે.

કેવા દિવસો આવ્યા છે? હવે ગંગામાં પણ છોડવા પડશે માછલાં, જાણો વિગતે

બપોરથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન જરૂરી સેવાઓ સિવાયનાં વાહનોના પ્રવેશને પ્રતિબંધિત કરીને નિરીક્ષણમાંથી આગળ ગયેલાં વાહનોને પાર્ક કરવા માટે દપચારી ખાતે બે ખુલ્લી જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. તે દસ એકર વિસ્તારમાં મોસમી કાર પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાહનોનું જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને થાણેના મંત્રી એકનાથ શિંદેએ પણ પાલઘરની મુલાકાત લીધી છે.  

ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પાલઘર અને થાણે જિલ્લાના વાલી મંત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, એમ જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું. પ્રતિબંધો કૃષિ ઉત્પાદનો, દૂધ, બળતણ, દવાઓ અને અન્ય આવશ્યક સેવાઓને બાકાત કરશે. JNPT પૉર્ટ તરફ જતાં ભારે વાહનોને પ્રતિબંધનો ફટકો પડશે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે નીતિ જાહેર કરશે.

Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Exit mobile version