Site icon News Continuous Bureau | Mumbai

અમે તો પરંપરા પ્રમાણે જ વિસર્જન કરીશું, કોલ્હાપુરમાં એક ઠેકાણે કોરોનાના બધા જ નિયમો નેવે મુકાયા અને ઉપરથી પોલીસ સાથે કર્યો વિવાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવમાં મૂર્તિની ઊંચાઈ સહિત કેટલાક નિયમો રાજ્ય સરકારે લાગુ કર્યા હતા. આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસો પણ તહેનાત હતા. છતાં ઘણી જગ્યાએ સરકારી નિયમો ભંગ થયા હતા. કોલ્હાપુરના એક ગણેશ મંડળમાં વિસર્જન સમયે પરંપરા સામે કોરોના નિયમોના ઉલ્લંઘન બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ છેડાયો હતો.

શું આજે કંગના ની ધરપકડ થશે? પંગા‌ ક્વિન માટે મોટો દિવસ. જાણો વિગત

આ મંડળે દર વર્ષની પરંપરાને પકડી રાખતાં ગણેશચતુર્થીના દિવસે ૨૧ ફૂટ ઊંચી મૂર્તિ મંડપમાં લાવી હતી અને એટલું જ નહિ પારંપારિક વાદ્યો વગાડીને મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યારે મંડળ વિરુદ્ધ પહેલાંથી જ ગુનો દાખલ થયો હતો. ગઈ કાલે વિસર્જનના દિવસે પણ નિયમોનું ઉલ્લંઘન કરીને આ મંડળના લોકોએ સવારથી મૂર્તિને મંડપ બહાર રાખી હતી અને વિસર્જનમાં આવનારા લોકોની ભીડ પણ જામી ગઈ. આ મામલે પોલીસ અને મંડળના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક જંગ થઈ હતી. ત્યાર બાદ ૨૧ ફૂટની મૂર્તિનું ઈરાની તળાવમાં વિસર્જન થયું.

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version