Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના ગુજરાતી નેતા મેદાનમાં : હવે મહારાષ્ટ્રના પ્રધાનમંડળના વધુ ત્રણ નેતાનો ગોટાળો બહાર આવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના એક પછી એક કૌભાંડ બહાર પાડી રહ્યા છે. તેમણે રાજ્યના જુદા જુદા પ્રધાનો અને નેતાઓની એક યાદી તૈયાર કરી છે. એમાં હવે તેઓ રાજ્યના વધુ ત્રણ નેતાઓનાં કૌભાંડો બહાર પાડવાના છે. હજી સુધી આ નેતાઓનાં નામ બહાર પાડવામાં આવ્યાં નથી, પરંતુ અપ્રત્યક્ષ રીતે એ ત્રણ નેતાઓ સામે આંગળી ચીંધી દેવામાં આવી છે. હાલ સોમૈયા દિલ્હીમાં ઈડી અને સીબીઆઇ, ઇન્કમ ટૅક્સના અધિકારીઓની મુલાકાત માટે રવાના થયા હોવાનું કહેવાય છે.

મહાવિકાસ આઘાડી સરકારના ત્રણ પ્રધાનોનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાની ચીમકી સોમૈયા આપી છે. બહુ જલદી તેમનાં નામ પણ તેઓ જાહેર કરવાના હોવાનું કહ્યું હતું. એમાં વિદર્ભના કૉન્ગ્રેસના પ્રધાન, રાષ્ટ્રવાદીના મોટા નેતા અને શિવસેનાના એક નેતાનો સમાવેશ થાય છે. આ નેતાઓની સાથે તેમના પરિવારજનો પણ કૌભાંડમાં જોડાયેલા હોવાનો સોમૈયાએ આરોપ કર્યો છે.

બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

રાજ્યના ગ્રામીણ વિકાસપ્રધાન હસન મુશ્રીફના વિરોધમાં 2,700 પાનાંના પુરાવાની ફાઈલ લઈને સોમૈયા હાલ દિલ્હી ગયા છે. ઈડીને આ ફાઈલ આપવાના છે.

Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Water Crisis in Maharashtra કલ્યાણડોંબિવલી અને નાગપુરમાં ‘પાણી કાપ’ વહીવટીતંત્ર દ્વારા જળપુરવઠામાં મોટો કાપ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ
Bharat Taxi Launch ઓલાઉબેરને મળશે ટક્કર? ગુજરાતના ૧૪ શહેરોમાં ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ કરશે અમિત શાહ
Ketan Agarwal Murder Case ૧૦ કલાકની કડક પૂછપરછ બાદ પોલીસ એક્શનમાં! શું ભાઈ સાહિલની કબૂલાત બહેન સિયાને જેલના સળિયા પાછળ ધકેલશે?
Exit mobile version