સતત વરસાદને કારણે રત્નાગીરી જિલ્લામાં ચિપલુણ પાસે વશિષ્ઠ નદીના પૂલ પર નદીનું પાણી આવી જવાને કારણે વાહન વ્યવહારમાં અડચણ પેદા થઈ છે.
તકેદારીના પગલા સ્વરૂપે હાલ મુંબઇ થી ગોવા તરફ જનાર અને ગોવાથી મુંબઈ તરફ પાછો આવનાર રસ્તો ચીપલુણ પાસે બંધ કરવામાં આવ્યો છે.
નદીના પાણી ઓસરી ગયા પછી આ વાહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવશે.
વસઈનો આ રસ્તો સતત ત્રણ દિવસથી પાણીમાં યથાવત; પાણીનો નિકાલ થતા લાગી શકે છે આઠ દિવસ, જાણો વિગત
