Site icon

સરકારે આપ્યો સંકેત, મુંબઈના વેપારીઓને આ રાહત મળી શકે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર       

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, છતાં સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. એથી લૉકડાઉનને પહેલી જૂન બાદ પણ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લૉકડાઉનમાં રહેલા આકરા નિયમો હળવા કરાશે. જેમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દુકાનો ખુલ્લી રાખવાના ટાઇમમાં રાહત આપવામાં આવવાની છે.

હાલ અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલી દુકાનોને સવારના 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે. હવે આ દુકાનો ખુલ્લી રાખવાના કલાકો વધારવામાં આવશે. એટલે 11 વાગ્યા સુધીની મુદતમાં હજી વધારો કરવામાં આવશે. એ સિવાય બીજી અન્ય દુકાનો ખોલવાની મંજૂરી પણ મળશે. જોકે કઈ દુકાનો ખૂલશે તેમ જ કોને મંજૂરી આપવી એનો નિર્ણય સ્થાનિક પાલિકા લેશે. તેમ જ મહારાષ્ટ્રમાં હજી જે જિલ્લામાં કોરોનાનો પૉઝિટિવ રેટ વધારે છે, પરિસ્થિત હજી નિયંત્રણમાં નથી ત્યાં વધુ છૂટછાટ આપવામાં આવશે નહીં.

દેશમાં 44 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 2.80 લાખથી વધુ લોકો થયા રિકવર ; જાણો આજના નવા આંકડા

સરકાર એ સિવાય જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન શક્ય નથી તેમ જ જ્યાં સુધી વધુમાં વધુ નાગરિકોનું વેક્સિનેશન થાય નહીં ત્યાં સુધી રેસ્ટોરાં, બ્યુટી પાર્લર તથા જિમને ખોલવાની મંજૂરી આપવાની નથી, એવું પણ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version