Site icon

ફેરિયાઓને રાહત આપો છો તો રિટેલ વેપારીઓ માટે શું? બૉમ્બે હાઈ કોર્ટનો સળગતો સવાલ

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે lockdown લાગુ કર્યા બાદ રિટેલ વેપારીઓ ભારોભાર નુકસાન વેઠી રહ્યા છે. એક તરફ દુકાનોના ખર્ચા અને બીજી તરફ જે માલ ભર્યો છે એની ઉપર થનારું નુકસાન. આ બધું વીત્યા પછી પણ સરકારે વેપારીઓને કોઈ રાહત ન આપી. હવે આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે કડક વલણ લીધું છે. વેપારીઓ દ્વારા આ સંદર્ભે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વેપારીઓએ માગણી મૂકી હતી કે જો દુકાનો બંધ રહે છે તો તેમની પાસેથી લાઇસન્સ ફી, રીન્યુઅલ ફી, માલમતા કર વગેરેમાં રાહત આપવી જરૂરી છે. આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે સરકારી વકીલને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. તેમ જ અદાલતમાં એ પ્રશ્ન પણ ઉપસ્થિત રહ્યો હતો કે વેપારીઓને દુકાન બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે કે ઈ-કૉમર્સ કંપનીઓ લોકોના ઘર સુધી માલસામાન પહોંચાડી રહી છે.

શિવસેનાના વરિષ્ઠ નેતા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ; કારણ બહાર આવ્યું નથી

હવે આવનારા દિવસો દરમિયાન આ સંદર્ભે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version