Site icon

શું ગુજરાતમાં હાઇકોર્ટની ટીપ્પણી ને કારણે લોકડાઉન લાગશે? જાણો હાઈકોર્ટે શું કહ્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 માર્ચ 2021

ગુજરાતમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે આ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનું નિવેદન કર્યું છે.

ગુજરાતમાં વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના માટે વધુ પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ એવી ચીમકી ઉચ્ચારી છે કે જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તે રીતે શક્ય છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં લોકડાઉન લાગુ કરી દે.

સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં અપર્યાપ્ત સુવિધાઓને કારણે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે હાલ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

 

ઉલ્લેખનીય છે કે એક તરફ મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન લાગી ચૂક્યો છે, તેમજ મુંબઈ શહેર પર લોકડાઉન ની તલવાર લટકી રહી છે. આ પરિસ્થિતિમાં હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ સરકાર કોઈ પગલું લે.

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
SMS Hospital Fire: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં આગની ઘટના પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક, સોશિયલ મીડિયા પર કહી આવી વાત
Bihar Elections: આજે થઈ શકે છે બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે આટલા વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
Exit mobile version