Site icon News Continuous Bureau | Mumbai

Naxal Encounter : છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, જવાનોએ આટલા નક્સલવાદીઓને માર્યા ઠાર..

Naxal Encounter :છત્તીસગઢના નારાયણપુરમાં અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. અબુઝમાદના કુતુલ ફરસાબેદા કોડમેટા વિસ્તારમાં સૈનિકોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

Naxal Encounter 8 Naxals, 1 soldier killed in encounter in Chhattisgarh's Narayanpur

Naxal Encounter 8 Naxals, 1 soldier killed in encounter in Chhattisgarh's Narayanpur

News Continuous Bureau | Mumbai  

Naxal Encounter : છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ સાથે જવાનોનું એન્કાઉન્ટર થયું છે, આ અથડામણમાં જવાનોને મોટી સફળતા મળી છે. અબુઝમાદમાં થયેલા એન્કાઉન્ટરમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેમાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, કુતુલ, ફરસાબેડા, કોડમેટા વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Channel

Naxal Encounter :નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસમાં સંયુક્ત ઓપરેશન ચાલુ 

અબુઝહમદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર જિલ્લાની પોલીસ સામેલ હોવાની સત્તાવાર માહિતી મળી છે, જે નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. આ એન્કાઉન્ટરમાં DRG, STF અને ITBP 53મી કોર્પ્સ ફોર્સ ઓફ નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા સામેલ છે. સુરક્ષા દળો આંતરિક વિસ્તારો અને એન્કાઉન્ટર સાઇટ્સની તપાસ કરી રહ્યા છે.

Naxal Encounter :ગત સપ્તાહે સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા

 મહત્વનું છે કે 7 જૂને દંતેવાડા અને નારાયણપુર બોર્ડર પર સર્ચિંગ દરમિયાન સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ જવાબી હુમલામાં 7 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ દરમિયાન, સૈનિકોને માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો પણ મળ્યા હતા. નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવ જિલ્લાની સરહદ પર સ્થિત મુંગેડી અને ગોબેલ વિસ્તારના એક ગામમાં કેટલાક નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા દળોએ આ નક્સલ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું.

આ સમાચાર  પણ વાંચો : ગર્વની ક્ષણ.. દુનિયાની સૌથી ટફ ગણાતી કોમરેડ મેરેથોન, મુંબઈના 20 વર્ષીય દોડવીર આનંદ લોંધેએ પુર્ણ કરી

Naxal Encounter :અત્યાર સુધીમાં 120થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી છત્તીસગઢમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સતત નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે, જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 120થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. ગયા મહિને મે મહિનામાં બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા મોટી સંખ્યામાં નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

 

Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Uddhav Thackeray। મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી
Pune Gas Leak। પુણેમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, લોકોએ ઘરની બહાર વિતાવી રાત
Exit mobile version