ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
નક્સલવાદીઓએ અપહરણ કરેલા કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વર સિંહને પોતાની પકડ માં થી મુક્ત કર્યો છે. આ જવાન ને અત્યારે મેડિકલ ચેકઅપ માટે આર્મી કેમ્પ લઈ જવાયો છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રુકમણી સેવા સંસ્થાના અધ્યક્ષ ધરમપાલ સૈની તથા ગોંડવાના સમાજ ના અધ્યક્ષ તેલમ બોરૈયા ની ઉપસ્થિતિમાં જવાનને મુક્ત કરવામાં આવ્યો છે.
જોકે હજી એ વાત બહાર નથી આવી કે કઈ શરતો પર તેને મુક્ત કરાયો છે.
