Site icon

શરદ પવાર હવે બેચેન થયા- એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને આ ધમકી આપી

NCP: Pawar Stepped Down From Post NCP President Post After 2 Decades, Why Party Was Formed And Its Journey,

NCP: શરદ પવાર બે દાયકા પછી NCPના અધ્યક્ષ પદેથી હટયા, પાર્ટીની રચના કેમ થઈ અને કેવી રહી તેની સફર, અહીં વાંચો બધું

News Continuous Bureau | Mumbai 

પોતાના હાથમાંથી સત્તા જઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાયા પછી હવે શરદ પવાર(NCP chief Sharad Pawar) બેચેન થયા છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે શિવસેના(Shivsena)ના ધારાસભ્યો ભલે મહારાષ્ટ્ર(Maharashtra)ની બહારથી ગમે તેવા નિવેદનો આપતા હોય તેમ જ પગલાં ઉચકતા હોય પરંતુ જેવા મહારાષ્ટ્રની ભૂમિ પર પગ મૂકશે કે તરત જ પરિસ્થિતિ બદલાઈ જશે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં. આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક. જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે.

પોતાની વાતને આગળ વધારતાં તેમણે સીધા શબ્દોમાં ધમકી આપી દીધી કે જે ધારાસભ્યો શિવસેનાની વિરુદ્ધમાં બંડ કરી રહ્યા છે તે ધારાસભ્યો ને તેની પૂરેપૂરી કિંમત ગણી આપવી પડશે. આ ઉપરાંત તેમણે ભૂતકાળના ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે છગન ભુજબળ(chagan Bhujbal) અને નારાયણ રાણે(Narayan Rane) સહિતના જેટલા નેતાઓ શિવસેનાથી બહાર આવ્યા છે તેમના સમર્થકોને ત્યારબાદની ચૂંટણી જીતવી અઘરી પડી છે.

આમ પોતાના ઠંડા સ્વભાવ માટે જાણીતા શરદ પવાર પણ હવે બેચેન થયા છે અને ધમકીની ભાષા વાપરી રહ્યા છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version