Site icon News Continuous Bureau | Mumbai

NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCB) અધ્યક્ષ બ્રાહ્મણ વિરોધી છે, તેઓ નાસ્તિક છે એવી જાત-જાતની તેમના વિશે ચર્ચા થતી હોય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(MNS) પણ તેઓ મંદિરમાં જતા નથી કરીને તેમની ટીકા હતી. તાજેતરમાં શરદ પવાર(Sharad Pawar) પુણેમાં પ્રખ્યાત દગડુશેઠ ગણપતિ મંદિરના(Dagdusheth Ganapati Temple) પરિસરમાં ગયા હતા. પરંતુ મંદિરમાં અંદર નહીં જતા બહારથી જ  દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી તેમની ટીકા કરવામાં આવી હતી.

શુક્રવારે શરદ પવાર પુણેના દગડુ શેઠ મંદિરના પરિસરમાં ગયા હતા. મંદિરના ટ્રસ્ટીઓએ(trustees of the temple) પણ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું, પરંતુ તેઓ મંદિરમાં અંદર જવાને બદલે બહારથી દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી ટીકા થવા માંડી હતી.

આ સમાચાર પણ વાંચો :  આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..

છેવટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પુણેના અધ્યક્ષ પ્રશાંત જગતાપે(Prashant Jagtap) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, શરદ પવારે માંસાહાર કર્યો હોવાથી તેઓ  મંદિરની અંદર દર્શન કરવા ગયા નહોતો અને બહાર દરવાજા પરથી દર્શન કરીને પાછા ફર્યા હતા. રાષ્ટ્રવાદની સ્પષ્ટતા બાદ પણ જોકે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
 

Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Mumbai Weather Yellow Alert। મુંબઈમાં બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવિત આગામી ૨ થી ૩ દિવસ ભારે, જાણો તમારા શહેરમાં કેટલો રહેશે પારો
Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
Exit mobile version