Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ મંત્રીએ કર્યો બફાટ, મગજ શાંત રાખવા આપી આ વિચિત્ર સલાહ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર જીતેન્દ્ર આવ્હાડ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. 

ભિવંડી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતાં મંત્રી જીતેન્દ્ર આવ્હાડે કાર્યકરોને મગજ શાંત રાખવા રજનીગંધા પાનસુપારી ગુટખા, પાનમસાલા ખાવાની વિચિત્ર સલાહ આપી હતી.

સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે તમારા વિરોધીઓ હંમેશા તમને ઉશ્કેરશે, જેમાં તેમનો રાજકીય સ્વાર્થ ઘણો મોટો છે. 

તમારા વિરોધીઓ તમને ગમે તેટલા ઉશ્કેરતા હોય તો પણ તમારું મગજ શાંત રાખો એમ કહીને મંત્રી જિતેન્દ્ર આવ્હાડે મુસ્લિમોને તેમના માથા પર બરફ રાખવા, રજનીગંધા પાનસુપારી ગુટખા, પાનમસાલા ખાવા અને શાંત રહેવા માટે વધુ પડતું માંસ ન ખાવા વિનંતી કરી હતી.

આ વિવાદાસ્પદ નિવેદને રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જગાવી છે.

સંસદનું શિયાળુ સત્ર: કૃષિ કાયદા પરત લેવાના બિલ પર સંસદની મહોર; વિપક્ષના હોબાળા વચ્ચે ચર્ચા વગર જ બંને ગૃહમાં બિલ પાસ
 

Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Mumbai Weather Yellow Alert। મુંબઈમાં બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવિત આગામી ૨ થી ૩ દિવસ ભારે, જાણો તમારા શહેરમાં કેટલો રહેશે પારો
Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
Exit mobile version