Site icon

ગુજરાતમાં રાજ્યસભાની સીટ જીતવાનું કોંગ્રેસનું સપનું રોળાયું, ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ એનસીપી ના ધારાસભ્યએ ભાજપને મત આપવાનું જાહેર કર્યું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

5 જુન 2020

 ગુજરાતમાં રાજ્યસભા ની સીટ જીતવા નું કોંગ્રેસના સપના પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ના સમાચાર જુના નથી થયા ત્યાં ગુજરાતમાંથી એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા એ પોતાનો ભાજપ પ્રેમ છડેચોક જાહેર કરી દીધો છે. તેણે કહ્યું કે "રાજ્યસભાની ચૂંટણી વેળા હું હંમેશા ભાજપને જ  મત આપતો આવ્યો છું" આમ કાંધલના આ નિવેદન બાદ ભાજપના ઉમેદવારની જીત પાક્કી થઇ ચૂકી છે..

 દેશમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન હોવા છતાં ગુજરાતમાં એનસીપી વાંકી ચાલી રહી હોવાનું જણાઇ રહ્યું છે.. આશ્ચર્યની વાત એ છે કે એનસીપી ના ધારાસભ્ય ને પાર્ટી હાઈ કમાન્ડ ના કોઇ બંધન પણ નડી નથી રહ્યા. 19 જૂને ભાજપને મત આપવાનું વચન દેનારા વિરુદ્ધ, રાષ્ટ્રીય નેતાગીરી પણ ચૂપ છે એ નવાઈ લાગે તેવી વાત છે..

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version