Site icon News Continuous Bureau | Mumbai

ગજબ બેઇજ્જતી-  પુણેમાં ભાજપના કાર્યક્રમમાં વાગયું આ પાર્ટીનું ગીત- જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિમાં(Maharashtra politics) શિંદે અને ઠાકરેની વચ્ચે જંગ ચાલી રહ્યો છે, આ સિવાય બીજેપી(BJP) પણ જમીન પર સતત સક્રિય જોવા મળી રહી છે. પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ માટે જ પુણેમાં ભાજપના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ(Cabinet Minister Chandrakant Dada Patil) આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું ગીત વાગવા લાગ્યું.

Join Our WhatsApp Channel

ભાજપનો કાર્યક્રમ અને કોઈ બીજી પાર્ટીનું ગીત વાગ્યું, તો સૌ ચોંકી ગયા. પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય અને વધુ ફજેતીથી બચવા માટે ભાજપના કાર્યકરોએ તરત જ તે ગીત બંધ કરાવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે આખરે ભાજપના કાર્યક્રમમાં અન્ય કોઈ પક્ષનું ગીત કેવી રીતે વાગી ગયું? શું તે માત્ર એક ભૂલ હતી કે કોઈએ વ્યૂહરચના ઘડીને આ હરકત કરી? પાર્ટી આ મામલાની તપાસ કરી રહી છે, પાર્ટી તરફથી કોઈ નિવેદન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રાજકોટમાં વિજય રુપાણીનું નામ લિસ્ટમાં નહીં- જાણો રુપાણીની સીટ પર કોણે નોંધાવી દાવેદારી

ઉદ્ધવ પર પ્રહાર કરી રહી છે ભાજપ 

જો કે, મહારાષ્ટ્રમાં આ સમયે ભાજપ સતત ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આડે હાથ લઈ રહી છે. જ્યારથી રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર બની છે ત્યારથી ઉદ્ધવ છાવણી પર પાર્ટીના પ્રહારો ચાલુ છે. ગયા અઠવાડિયે ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ઉદ્ધવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમના મોંમાં રામ છે પરંતુ બગલમાં રાહુલ છે. હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાના છે. તેમની સાથે NCP પ્રમુખ શરદ પવાર પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. હવે ભાજપે આ પરસ્પર ગઠબંધન પર કટાક્ષ કર્યો છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમની વિચારધારાથી ભટકી ગયા છે. તેઓ કહેવા માટે હિન્દુત્વની(Hindutva) વાત કરે છે પરંતુ હવે કોંગ્રેસની(Congress) વિચારધારા તરફ આગળ વધે છે.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version