Site icon News Continuous Bureau | Mumbai

NCP Rift : મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, અજિત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવા આ તારીખ સુધીનો મળ્યો સમય..

NCP Rift : સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવા માટે સ્પીકરને 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. શરદ પવારના જૂથે અજિત પવારની સાથે રહેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સ્પીકર નાર્વેકર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ પાસે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો, જે બાદ કોર્ટે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો.

NCP Rift Supreme Court Extends Time For Maharashtra Speaker To Decide Disqualification Petitions...

NCP Rift Supreme Court Extends Time For Maharashtra Speaker To Decide Disqualification Petitions...

News Continuous Bureau | Mumbai

NCP Rift : NCP v/s NCP વિવાદમાં ધારાસભ્યોને ગેરલાયક ( MLAs Disqualification ) ઠેરવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને  રાહત આપી છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પીકર રાહુલ નાર્વેકરને ( Rahul Narvekar ) નિર્ણય આપવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો વધુ સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારીત સમય મર્યાદા 31 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે.

Join Our WhatsApp Channel

અગાઉ આ સમયમર્યાદા 31 જાન્યુઆરી હતી

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના આદેશો પસાર કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે અયોગ્યતા અંગે નિર્ણય લેવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. નાર્વેકરે તાજેતરમાં જ શિવસેનાના ધારાસભ્યો ( Shiv Sena MLAs ) અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય લેવા માટે સ્પીકરને 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

સ્પીકરને સમય આપવો જોઈએ

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે સ્પીકર રાહુલ નાર્વેકર શિવસેનાના મતભેદો પર દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં વ્યસ્ત હતા, તેથી 31મીએ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં વધારાનો સમય આપવો જોઈએ. શરદ જૂથના નેતા અને મહારાષ્ટ્ર NCPના વડા જયંત પાટીલે આ અરજી દાખલ કરી છે. ગયા વર્ષે અજિત પવાર ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારમાં જોડાયા હતા. અજિત જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો સ્પીકર સમક્ષ વિચારણા હેઠળ છે ત્યારે એનસીપી કોના પક્ષમાં છે? આ મામલો ચૂંટણી પંચમાં નિર્ણય માટે પેન્ડિંગ છે.

આ સમાચાર પણ વાંચો :  Maldives : માલદીવની સંસદ બની અખાડો, વિપક્ષી સાંસદો સાથે મુઇજ્જુ કેબિનેટની છૂટા હાથની મારામારી! જુઓ વિડીયો..

ત્યારે એનસીપીએ 53 સીટો જીતી હતી

2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 288 સભ્યોની વિધાનસભામાં 53 બેઠકો જીતી હતી. એનસીપીમાં વિભાજન બાદ ઘણા ધારાસભ્યો અજિત પવાર ( Ajit Pawar ) સાથે ગયા હતા. હાલમાં, પાર્ટી પાસે અજિત પવાર સાથે 41 ધારાસભ્યો છે, જ્યારે પાર્ટી પાસે શરદ પવાર ( Sharad Pawar ) સાથે માત્ર 12 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર સરકાર પાસે કુલ 185 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે વિપક્ષ પાસે માત્ર 77 ધારાસભ્યો છે.

 

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Exit mobile version