Site icon News Continuous Bureau | Mumbai

અધધ 6 કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી બનશે અયોધ્યામાં રામ-સીતાની મૂર્તિ! જાણો શું છે ખાસિયત..

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.એવો અંદાજ છે કે રામ મંદિરનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ મંદિરોના ગર્ભગૃહમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

Nepal dispatches 2 Shaligram stones to Ayodhya for Ram, Janaki idols

અધધ 6 કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી બનશે અયોધ્યામાં રામ-સીતાની મૂર્તિ! જાણો શું છે ખાસિયત..

News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.એવો અંદાજ છે કે રામ મંદિરનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ મંદિરોના ગર્ભગૃહમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામ અને સીતા માતાની મૂર્તિ કયા પથ્થરથી બનાવવી તે પ્રશ્ન હતો. જોકે હવે રામ અને સીતાની મૂર્તિ માટેના પથ્થરની શોધ પૂર્ણ થઈ ગઈ છે. એક ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી આ કામની શોધમાં લાગેલી હતી.

Join Our WhatsApp Channel

આ પવિત્ર પથ્થરમાંથી બનાવવામાં આવશે ભગવાન રામની મૂર્તિ

હિન્દુ ધર્મમાં ઘણા પથ્થરોને શુભ માનવામાં આવે છે. ભગવાન રામ ( Ram ) અને માતા સીતાની મૂર્તિઓ ( Janaki idols ) માટે યોગ્ય પથ્થરની શોધ શરૂ થઈ અને પથ્થરની શોધ શરૂ થઈ. હવે આખરે આ શોધ પુરી થઇ ગઈ છે. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર ભગવાન રામ અને સીતા માતાની મૂર્તિઓ પવિત્ર શાલિગ્રામ પથ્થરમાંથી (  Shaligram stones ) બનાવવામાં આવશે. આ પથ્થરની શોધમાં એક ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી મહેનત કરી રહી હતી. કેટલાક લોકો ઘણા નકલી શાલિગ્રામ પથ્થરો પણ લાવ્યા હતા. પરંતુ, હવે ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ બનાવવા માટે 600 વર્ષ જૂનો શાલિગ્રામ પથ્થર મળી આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:   ભારતીય ટિમના આ સ્ટાર બેટ્સમેન મુરલી વિજયે કરી સંન્યાસની જાહેરાત, લખી ઈમોશનલ પોસ્ટ..

અહીંથી શાલિગ્રામ પથ્થર લાવવામાં આવી રહ્યો છે

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ-સીતાની મૂર્તિ માટે શાલિગ્રામ પથ્થર નેપાળથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. નેપાળમાં કાલી ગંડકી નામની નદી છે. મૂર્તિ માટે આ નદીમાંથી બે મોટી શાલિગ્રામ શિલાઓ કાઢવામાં આવી છે. બંને પથ્થરોનું વજન 26 અને 14 ટન છે. આ પથ્થરો લગભગ સાત ફૂટ લાંબા અને પાંચ ફૂટ પહોળા છે. આ પથ્થરોને કોતરીને ભગવાન રામ અને સીતાની મૂર્તિ બનાવવામાં આવશે.

શાલિગ્રામ પથ્થર શું છે?

શાલીગ્રામ એ ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે લંબગોળાકાર પથ્થર હોય છે, જેને ભગવાન વિષ્ણુનું સ્વરુપ માંનવામાં આવે છે અને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારત દેશના પડોશી તેમજ હિંદુ રાષ્ટ્ર એવા નેપાળ દેશમાં ગંડકી નદીના તળમાંથી શાલીગ્રામ તરીકે ઓળખાતા પથ્થરો મળી આવે છે. શાલિગ્રામ પથ્થરના કુલ 33 પ્રકાર છે. હિંદુ ધર્મ અનુસાર શાલિગ્રામ પથ્થર ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેમજ શાલિગ્રામની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી, તિરંગા સાથે ઉભેલા ભારતીયો પર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હુમલો.. જુઓ વિડીયો

RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
Khan Sir Surrenders પટના ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર પ્રખ્યાત કોચિંગ ડાયરેક્ટર ખાન સર કોર્ટમાં શરણે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાતા ખળભળાટ
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Exit mobile version