Site icon News Continuous Bureau | Mumbai

આસામ વિધાનસભામાં આવ્યો નવો ખરડો : હિંદુ, જૈન અને શીખ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અથવા મંદિરથીપાંચ કિલોમીટરનીઅંદર નહીં વેચી શકાય બીફ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની આગેવાનીવાળી સરકારે સોમવારે રાજ્ય વિધાનસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જેનો હેતુ રાજ્યના એવા ભાગોમાં જ્યાં હિંદુઓ, જૈનો અને શીખો બહુમતી ધરાવે છે ત્યાં પશુઓની કતલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. બિલમાં યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરીમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં અને આસામની બહાર પશુઓના પરિવહનને કાયદાની વિરુદ્ધ ગણવાની દરખાસ્ત કરવામાં આવી છે. નવા સૂચિત કાયદા-આસામ પશુ સુરક્ષા બિલ 2021 હેઠળના ગુનાઓ બિનજામીનપાત્ર રહેશે.

સરમાએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું હતું કે નવા કાયદાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યાં મોટાભાગે હિન્દુઓ, જૈનો, શીખો અને માંસ ન ખાનારા લોકો હોય અને મંદિર અથવા સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય સંસ્થાના પાંચ કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવે છે ત્યાં પશુઓની કતલની મંજૂરી આપવામાં ન આવે. જોકેકેટલાક ધાર્મિક પ્રસંગો માટે છૂટ આપી શકાય છે.

અલ્ટામાઉન્ટ રોડનું આ બિલ્ડિંગ થઈ ગયું સીલ, આ બિલ્ડિંગમાં છે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર ; જાણો વિગત

જિલ્લામાં વેચાણ અને ખરીદીના હેતુથી રજિસ્ટર્ડ પશુ બજારોમાં પશુના પરિવહન માટે કોઈ પરવાનગી મેળવવાની જરૂર નથી. આ કાયદા અંતર્ગત દોષી સાબિત થયેલી કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અથવા ત્રણ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે એવી સજાની જોગવાઈ કરવામાં આવશે. નવા કાયદા હેઠળ જો કોઈ દોષી બીજી વખત સમાન અથવા સંબંધિત ગુનામાં દોષી સાબિત થાય છે, તો સજા બમણી કરવામાં આવશે. આ કાયદો આખા આસામમાં લાગુ થશે.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version