Site icon News Continuous Bureau | Mumbai

Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો

એક મહિલાએ દાવો કર્યો કે તેમની દીકરીનો ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવા માટે ડૉક્ટર પર દબાણ હતું; આત્મહત્યા નહીં પણ હત્યાનો આરોપ.

Doctor suicide ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક અન્ય એક આપઘાત સાથે જો

Doctor suicide ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક અન્ય એક આપઘાત સાથે જો

News Continuous Bureau | Mumbai

Doctor suicide મહારાષ્ટ્રના સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે તેમની દીકરીનો ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવા માટે ડૉક્ટર પર દબાણ હતું. ભાગ્યશ્રી મારુતિ પંચાંગને નામની મહિલાએ જણાવ્યું કે, તેમણે પોતાની દીકરીના લગ્ન સેનાના એક અધિકારી સાથે કર્યા હતા. સાસરીયામાં દીકરીને ત્રાસ આપવામાં આવતો હતો. એક દિવસ ખબર પડી કે દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે કહ્યું કે ડૉક્ટર પર તેમની દીકરીનો ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

‘આત્મહત્યા નહીં, હત્યા હતી’

મહિલાએ દાવો કર્યો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમની દીકરી દીપાલીનું મૃત્યુ કુદરતી હતું. તેમણે આ ઘટનાની યોગ્ય તપાસ કરાવવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, સાતારાની જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરની આત્મહત્યા મામલે એક સબ ઈન્સ્પેક્ટર ગોપાલ બદણે અને મકાનમાલિકના દીકરા પ્રશાંત બનકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

સ્યુસાઇડ નોટમાં પૂર્વ સાંસદનું નામ

ડૉક્ટરે પોતાની હથેળી પર પણ સ્યુસાઇડ નોટ લખી હતી. આ સિવાય, ચાર પાનાની સ્યુસાઇડ નોટમાં એક પૂર્વ સાંસદનું નામ પણ હતું. પીડિતાએ દાવો કર્યો હતો કે પૂર્વ સાંસદના બે સહયોગી તેમના પર ખોટો મેડિકલ રિપોર્ટ બનાવવાનું દબાણ કરી રહ્યા હતા. ડૉક્ટરના એક સંબંધીએ પણ દાવો કર્યો હતો કે તેમના પર ખોટા મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવાનું દબાણ કરવામાં આવતું હતું. ફળટણના રાજકીય લોકો કે પોલીસ અવારનવાર રિપોર્ટમાં ચેડાં કરવા માટે કહેતા હતા. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઘણી વાર આની ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

આ સમાચાર પણ વાંચો : Ram temple attack: સુરક્ષા એજન્સીઓનો મોટો ખુલાસો: રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડતા આતંકી અદનાનની ધરપકડ, અનેક ધાર્મિક સ્થળો નિશાન પર હતા

 પુરાવા સાથે ચેડાંનો આરોપ

રિપોર્ટ મુજબ હવે ભાગ્યશ્રી નામની મહિલાએ દાવો કર્યો છે કે તેમની દીકરી દીપાલીના લગ્ન સેનામાં અધિકારી અજિંક્ય હનમંત નિમ્બાળકર સાથે થયા હતા. તેમણે કહ્યું કે દીપાલી સાથે સાસરીયામાં અવારનવાર મારપીટ થતી હતી. ૧૯ ઓગસ્ટે અજિંક્યનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે દીપાલી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં જઈને જોયું તો દીપાલીનું મૃત્યુ થઈ ગયું હતું. કહેવામાં આવ્યું કે તેણે આત્મહત્યા કરી છે. ભાગ્યશ્રીએ કહ્યું કે આ આત્મહત્યા નહીં પણ હત્યા હતી. દીપાલી ગર્ભવતી હતી અને તેની દોઢ વર્ષની એક દીકરી હતી. આવી સ્થિતિમાં તે કોઈપણ ભોગે આત્મહત્યા કરી શકે નહીં. ભાગ્યશ્રીએ દાવો કર્યો કે અજિંક્યના પરિવારજનોએ પોતાના રાજકીય વગ અને પોલીસ સાથેના સંબંધોનો ફાયદો ઉઠાવીને બળજબરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલાવી નાખ્યો. ઘટનાના એક મહિના પછી પોલીસે તેમને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સોંપ્યો હતો.

Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
JSSC Recruitment Exams હાઈકોર્ટનો મોટો આદેશ JSSCCGL સહિતની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય સ્થગિત
Exit mobile version