Site icon News Continuous Bureau | Mumbai

New Year 2023 : વર્ષના પ્રથમ દિવસે કરો ભગવાનના દર્શન, અહીં તપાસો મુંબઈના સિદ્ધિવિનાયક સહિત રાજ્યના મુખ્ય મંદિરોનું શેડ્યૂલ..

2023ની શરૂઆત થવામાં થોડા કલાકો બાકી છે. નવા વર્ષમાં ભક્તો સૌ પ્રથમ સવારે ભગવાનનાં દર્શન કરવા મંદિરે પહોંચી જતા હોય છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ રવિવાર હોવાથી મંદિરમાં દર્શન માટે ભીડ જામશે. ભક્તોના આ ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય મંદિરોએ 1 જાન્યુઆરીએ દર્શનના સમયમાં ખાસ ફેરફાર કર્યા છે.

New Year 2023-Visit These temples on the first day of the year, check here timing of aarti

New Year 2023 : વર્ષના પ્રથમ દિવસે કરો ભગવાનના દર્શન, અહીં તપાસો મુંબઈના સિદ્ધિવિનાયક સહિત રાજ્યના મુખ્ય મંદિરોનું શેડ્યૂલ..

News Continuous Bureau | Mumbai

2023ની શરૂઆત થવામાં થોડા કલાકો બાકી છે. નવા વર્ષમાં ભક્તો સૌ પ્રથમ સવારે ભગવાનનાં દર્શન કરવા મંદિરે પહોંચી જતા હોય છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ રવિવાર હોવાથી મંદિરમાં દર્શન માટે ભીડ જામશે. ભક્તોના આ ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય મંદિરોએ 1 જાન્યુઆરીએ દર્શનના સમયમાં ખાસ ફેરફાર કર્યા છે.

Join Our WhatsApp Channel

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈ સહિત વિશ્વભરના ભાવિકોનું શ્રદ્ધાસ્થાન ગણાતા સિદ્ધિવિનાયક મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો જોવા મળે છે. નવા વર્ષના દિવસે 1 જાન્યુઆરીએ સવારે 3.15 વાગ્યાથી ભક્તો પ્રભાદેવીના શ્રી સિદ્ધિવિનાયકના દર્શન કરી શકશે. સવારે 5.30 કલાકે આરતી થશે. નવું વર્ષ અને રવિવાર હોવાથી સિદ્ધિવિનાયકના દર્શન માટે ભક્તોની ભારે ભીડ રહે તેવી શક્યતા છે. તેથી, ભીડના આયોજન માટે કતારની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:   ઓવર સ્પીડ કે ઝપકી નહીં પણ આ કારણે સર્જાયો હતો રિષભની કારનો અકસ્માત, ખુદ ક્રિકેટરે જ કર્યો ખુલાસો..

દગડુશેઠમાં વિશેષ આરતી

પુણેના દગદશેઠ ગણપતિ મંદિરમાં 31 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે વિશેષ આરતી થશે. તે પછી, મંદિર બપોરે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. નવા વર્ષ નિમિત્તે મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિરને ખાસ ફૂલોથી શણગારવામાં આવશે. નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ મંદિર સવારે 5 થી 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

અંબાબાઈ મંદિર, કોલ્હાપુર

દરેક ભક્ત નવા વર્ષની શરૂઆત શ્રી કરવીર શક્તિપીઠ અંબાબાઈ દેવીના દર્શનથી કરવા ઈચ્છે છે. તેથી નવા વર્ષના પ્રથમ દિવસે અંબાબાઈ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જામે છે. આ વર્ષે પણ સવારે 5:50 વાગ્યે મંદિર ખુલ્યા બાદ ભક્તો દિવસભર દેવીના દર્શન કરી શકશે. ત્યારબાદ રાત્રે દસ વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે. નવા વર્ષ અને રજાના કારણે ભીડ વધુ રહેશે.

આ સમાચાર પણ વાંચો:   નવું વર્ષ નવા નિયમ.. 1લી જાન્યુઆરીથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર!

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version