Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મનસેના વડા રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી.

જોકે નીતિન ગડકરીએ આ બેઠક પાછળ પણ કેટલાક રાજનૈતિક કારણ હોવાની વાતને ફગાવતા આને એક પારિવારિક બેઠક જણાવી.

આ મુલાકાત બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ગડકરીએ મનસે પ્રમુખના પરિવાર સાથે પોતાના જૂના સંબંધો તરફ ઇશારો કરતા કહ્યું કે તેઓ તેમના આમંત્રણ પર તેમના ઘરે ગયા હતા.

નોંધનીય છે કે, આ બેઠક રાજ ઠાકરેના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી હતી. જેમાં MNS પ્રમુખે મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં આકાશમાંથી પડ્યા ગગનગોળા અને લોખંડની રિંગ, જુઓ વિડિયો, જાણો વિગતે

Anant Ambani Rescues Youth ૫ વર્ષથી તળાવમાં રહેવા મજબૂર હતો યુવક, અનંત અંબાણીએ કર્યું કંઈક એવું કે સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Gujarat Maritime Tourism ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ, રાજ્યના ૧૭ લાઇટહાઉસ આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ
Patan Charanka Solar Park પાટણના ચારણકા સોલાર પાર્કે ભારતની હરિત ઊર્જા ક્રાંતિમાં વરદાનરૂપ ભૂમિકા ભજવી, ગુજરાત બન્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી
Exit mobile version