ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે તમામ નાગરિકોને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી છે પરંતુ તેની સાથે એક ચોંકાવનારો નિર્ણય પણ લીધો છે. મહારાષ્ટ્રમાં વેક્સિનની કમીને જોતાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ૧લી મેથી અઢાર વર્ષની ઉંમરના લોકોને વેક્સિન નહીં આપવામાં આવે.
સરકારની કુલ મળીને પાંચ કરોડથી વધુ વેક્સિન ના ડોઝ ની જરૂર છે. આટલા ડોઝ તેની પાસે અવેલેબલ નથી. તેથી રાજ્ય સરકારને ૬૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બજારમાંથી આ વેક્સિન ખરીદવી પડશે. આખરી પ્રક્રિયામાં સમય પણ લાગશે. આથી રાજ્ય સરકારે તમામ નાગરિકને મફત વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ ક્યારે આપવામાં આવશે તે બાબતે સ્પષ્ટતા કરી નથી.
સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..
