Site icon

વારે વારે લૉકડાઉન નહીં, કોરોનામુક્તિ માટે આંદોલન થવું જોઈએ; રાજ્ય વધુ લૉકડાઉન સહન નહીં કરે શકે : ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર                                                        

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય વારંવાર લૉકડાઉન સહન નથી કરી શકતું, એટલે લોકો સતર્ક રહે. કોરોનાથી મુક્તિ મેળવવા એક અભિયાન ચલાવવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે ત્રીજી લહેર દરવાજા સુધી પહોંચવી જોઈએ નહીં. તેને બહારથી ભગાડી દો.

મુખ્ય પ્રધાને નાશિક, કોંકણ અને પુણેના સરપંચો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરી ચર્ચા કરી હતી. કોરોનાની બીજી લહેર પર કેવી રીતે કાબૂ મેળવ્યો એ મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ અને કહ્યું હતું કે બીજી લહેર ખતમ થવામાં જ છે. કોરોના મહામારીના સંકટમાં કોરોનામુક્તિ માટે એક આંદોલન કરવું જોઈએ એવુ પણ તેમણે કહ્યુ હતું. સરકારે જે ઉપાયો સૂચવ્યા છે એ જો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો એક પખવાડિયામાં બધાં ગામ અને શહેરો કોરોનામુક્ત થઈ શકે છે.

કોંકણના આ જિલ્લામાં ફાટી શકે છે વાદળ; હવામાન વિભાગે કરી આ મહત્ત્વપૂર્ણ આગાહી

કૉન્ફરન્સિંગ દરમિયાન મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું કે પહેલી અને બીજી લહેરમાં કરેલી ભૂલો વારંવાર ન થવી જોઈએ. અમે વારે વારે લૉકડાઉન સહન નથી કરી શકતા. ગામ, જિલ્લા અને શહેરોએ આખા રાજ્યને કેવી રીતે કોરોનામુક્ત થઈ શકે એ માટે પહેલ કરવી જોઈએ. આ કામ આંદોલનની માફક થવું જોઈએ. જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી બધાએ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવું જોઈએ એવું પણ તેમણે કહ્યું હતું.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version