Site icon

ગણેશોત્સવ દરમિયાન આખા મહારાષ્ટ્રમાં કડક નિર્બંધ લાગુ થશે, આરોગ્યપ્રધાને આપ્યા સંકેત; જાણો બીજું શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 
સોમવાર
મહારાષ્ટ્રના માથેથી કોરોનાનું સંકટ ટળ્યું નથી. લૉકડાઉન શિથિલ કર્યા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં એવું વારંવાર કહેવાઈ રહ્યું છે. દરમિયાન ગણેશોત્સવ ઉપર કોરોના સંકટ હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. આગામી એક- બે દિવસમાં ગણેશોત્સવ બાબતે નિયમાવલી જાહેર કરવામાં આવશે. એવી માહિતી રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે આપી છે.

વડેટ્ટીવારે જણાવ્યું હતું કે લોકો નિયમોનું પાલન નહીં કરે તો કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી શકે છે. આ વાતને આધારે કેટલાક યોગ્ય નિર્ણય લેવા પડશે. એવી ચર્ચા મુખ્ય પ્રધાને આજે કરી છે. એક-બે દિવસમાં તજ્જ્ઞો સાથે ચર્ચા કરીને મુખ્ય પ્રધાન નિયમાવલી જાહેર કરશે. 

Join Our WhatsApp Community

જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

નાઇટ કર્ફ્યુ સંદર્ભે પુછાયેલા પ્રશ્નમાં વડેટ્ટીવારે જણાવ્યું હતું કે નાઇટ કર્ફ્યુ બાબતે કોઈ પણ ચર્ચા કે નિર્ણય લેવાયો નથી. તેમ જ નાઇટ કર્ફ્યુ લાદવાનો સરકારનો કોઈ પણ વિચાર ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version