Site icon

મરાઠા આરક્ષણ નો વિટો વળી ગયો, સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ ને ફગાવી દીધું છે. મરાઠા આરક્ષણ સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે જણાવ્યું કે 13% મરાઠા આરક્ષણ સંપૂર્ણ રીતે ખોટું છે કારણકે રિઝર્વેશન ની કેટેગરી ૫૦ ટકાથી વધુ આગળ જઈ રહી છે. પોતાના મહત્વપૂર્ણ નિવેદનમાં તેમણે જણાવ્યું કે મરાઠા સમુદાયને અશિક્ષિત કે ગરીબ કહી શકાય નહીં. જોકે સપ્ટેમ્બર 2020 સુધી જેટલા લોકોને આ આરક્ષણનો લાભ મળ્યો છે તેમને હાનિ નહીં પહોંચે. પરંતુ તેનાથી આગળ હવે વધુ લોકોને આ લાભ નહીં મળે.

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે અમે 1992ના એ ચુકાદા સંદર્ભે ફરી એક વાર વિચાર કરીશું જેમાં ૫૦ ટકાથી વધુ આરક્ષણ આપવા પર પ્રતિબંધ છે. 

કોરોના મહામારી સામેની જંગમાં મોટી રાહત, RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ લાગુ થઈ ગયા બાદ આરક્ષિત ટકાવારી 64 ટકાની આસપાસ થતી હતી. તેનાથી વધુ માં દસ ટકા જેટલા આર્થિક રીતે પછાત લોકોને પણ લાભ મળી રહ્યો છે. આમ સામાન્ય લોકો માટે બધા દરવાજા બંધ થઇ જતા સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ ફગાવી દીધું છે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version