Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકે છે, કેદ્રએ જાહેરનામું બહાર પાડ્યું.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
27 ઓક્ટોબર 2020

હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ જમીન ખરીદી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા નવા જમીન કાયદાની સૂચના જારી કરવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે વાવણી કરી શકાય એવી ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જમ્મુ-કાશ્મીર ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના પણ કરવામાં આવી છે. જેની મોટી મોટી કંપનીઓ રાજ્યમાં કારખાના સ્થાપી શકે અને સ્થાનીક લોકોને રોજગારી મળી શકે.. 

Join Our WhatsApp Channel

તમને જણાવી દઇએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસી જ જમીન ખરીદી અને વેચાણ કરી શકતા હતા. હવે નવા કાયદા હેઠળ બહારથી જતા લોકો જમીન પણ ખરીદી શકે છે અને ત્યાં જ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠનની પહેલી વર્ષગાંઠના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ આશરે ચાર દિવસ પહેલા આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે કલમ 370 રદ કરી હતી. જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું, 'જમ્મુ-કાશ્મીરના જમીન માલિકી કાયદામાં કરવામાં આવેલ સુધારો અસ્વીકાર્ય છે. હવે જમ્મુ-કાશ્મીર વેચાણ માટે તૈયાર છે. નાના જમીન માલિકોએ આનો ભોગ બનવું પડશે..

Aaditya Thackeray Disha Salian Statement રાજકીય આક્ષેપો વચ્ચે આદિત્ય ઠાકરેનો આકરો પલટવાર ‘દિશા સાલિયાન સાથે મારે કોઈ સંબંધ….’
Bhiwandi Apartment Parking Fire ભિવંડીમાં રહેણાંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ ૧૪ બાઇકો બળીને ખાખ..
Khopoli Railway Station Surprise Ticket Checking ખપોલી રેલવે સ્ટેશને ‘સરપ્રાઈઝ’ ટિકિટ ચેકિંગ વગર ટિકિટે મુસાફરી કરતા ૨૨૫ પ્રવાસીઓ પાસેથી ₹૯૦,૨૧૦ નો દંડ વસૂલાયો
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
Exit mobile version