Site icon News Continuous Bureau | Mumbai

સુભાષ દેસાઈનું પત્તું સાફ થઈ ગયું- ભારતીય જનતા પાર્ટીની જેમ શિવસેનામાં પણ આયાતી લોકો નો દબદબો- કોઈ શિવસૈનિક નહીં પરંતુ એનસીપીના નેતાને આપી વિધાન પરિષદમાં જગ્યા

 News Continuous Bureau | Mumbai

બાળાસાહેબ ઠાકરે(BalaSaheb Thakceray)ના દરબારમાં રહેલા નવ રત્નોમાંના એક એવા સુભાષ દેસાઈ(Subhash Desai)ને શિવસેના(Shivsena)એ પડતા મૂકી દીધા છે. એક સમયે સુભાષ દેસાઈ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાછળ પડછાયાની જેમ ઉભા રહેતા હતા. આ ઉપરાંત ગોરેગામ(Goregoan) વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર વિદ્યા ઠાકુર સામે તેમનો પરાભવ થયો હતો. ત્યાર બાદ શિવસેનાએ તેમને વિધાન પરિષદ(Legislative Council)માં સ્થાન આપ્યું હતું અને મંત્રી સુદ્ધા બનાવ્યા હતા. પરંતુ હવે વાત બદલાઈ ગઈ છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી આવેલા સચિન આહીર(Sachin Ahir) ને વિધાન પરિષદમાં સ્થાન આપ્યું છે. આની સાથે જ જૂની શિવસેનામાંથી એક વરિષ્ઠ નેતાની વિધાન પરિષદમાંથી વિદાય થશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પણ મહારાષ્ટ્ર(Maharashtra)માં એ જ નેતાઓને ટિકિટ આપી રહી છે જે નેતાઓ અન્ય પક્ષ છોડીને પાર્ટી સાથે જોડાયા છે. તેમજ પાર્ટીના નિષ્ઠાવાન નેતાઓને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ પંકજા મુંડે(Pankaja Munde)નું વિધાન પરિષદ માટે પત્તું કાપી નાખ્યું હતું.

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version