Site icon News Continuous Bureau | Mumbai

સુભાષ દેસાઈનું પત્તું સાફ થઈ ગયું- ભારતીય જનતા પાર્ટીની જેમ શિવસેનામાં પણ આયાતી લોકો નો દબદબો- કોઈ શિવસૈનિક નહીં પરંતુ એનસીપીના નેતાને આપી વિધાન પરિષદમાં જગ્યા

 News Continuous Bureau | Mumbai

બાળાસાહેબ ઠાકરે(BalaSaheb Thakceray)ના દરબારમાં રહેલા નવ રત્નોમાંના એક એવા સુભાષ દેસાઈ(Subhash Desai)ને શિવસેના(Shivsena)એ પડતા મૂકી દીધા છે. એક સમયે સુભાષ દેસાઈ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાછળ પડછાયાની જેમ ઉભા રહેતા હતા. આ ઉપરાંત ગોરેગામ(Goregoan) વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર વિદ્યા ઠાકુર સામે તેમનો પરાભવ થયો હતો. ત્યાર બાદ શિવસેનાએ તેમને વિધાન પરિષદ(Legislative Council)માં સ્થાન આપ્યું હતું અને મંત્રી સુદ્ધા બનાવ્યા હતા. પરંતુ હવે વાત બદલાઈ ગઈ છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી આવેલા સચિન આહીર(Sachin Ahir) ને વિધાન પરિષદમાં સ્થાન આપ્યું છે. આની સાથે જ જૂની શિવસેનામાંથી એક વરિષ્ઠ નેતાની વિધાન પરિષદમાંથી વિદાય થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પણ મહારાષ્ટ્ર(Maharashtra)માં એ જ નેતાઓને ટિકિટ આપી રહી છે જે નેતાઓ અન્ય પક્ષ છોડીને પાર્ટી સાથે જોડાયા છે. તેમજ પાર્ટીના નિષ્ઠાવાન નેતાઓને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ પંકજા મુંડે(Pankaja Munde)નું વિધાન પરિષદ માટે પત્તું કાપી નાખ્યું હતું.

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version