Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોના સિઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પૂરી કરવાના હેતુથી ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

Western Railway ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

Western Railway ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

News Continuous Bureau | Mumbai

Western Railway પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોના સિઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પૂરી કરવાના હેતુથી ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેની વિગતો આ મુજબ છે:

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09523/09524 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ (સાપ્તાહિક) [20 ટ્રીપ]

ટ્રેન નંબર 09523 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 10:35 વાગ્યે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 23 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 શકુર બસ્તી–ઓખા સ્પેશિયલ દર બુધવારે શકુર બસ્તીથી 13:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 24 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર, 2025 સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે 

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બેવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઊભી રહેશે.

આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઈકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09523નું બુકિંગ 11 સપ્ટેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની સંખ્યા અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version