Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાન ના રાજકારણમાં વાયા છત્તીસગઢ જમ્મુ કાશ્મીરના અબ્દુલ્લા કુટુંબની એન્ટ્રી. કઈ રીતે? જાણો આખી ઘટના..

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતી હુંસાતુંસીમાં હવે જમ્મુ-કાશ્મીરના અબ્દુલ્લા ફેમિલી ની એન્ટ્રી થઈ છે.. એક ટ્વિટ દ્વારા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે "રાજસ્થાનના કેસમાં તેમને અને તેના પિતા ફારૂક અબ્દુલ્લાને બિનજરૂરી રીતે ખેંચવામાં આવી રહ્યા છે." 

ઓમર અબ્દુલ્લા એ આવુ લખવું પડ્યું છે એની પાછળનું કારણ સમજીએ :–

Join Our WhatsApp Community

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, તેઓ રાજસ્થાનની ઘટનાને લઈ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં એક બાબત હેરાન કરનારી છે કે, " મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા પર સરખા ચાર્જીસ લગાવવામાં આવ્યાં હતાં. મહેબુબા મુફ્તી હજી જેલમાં છે. તો, પછી ઓમર અબ્દુલાને શા માટે જેલમાંથી વહેલા છોડવામાં આવ્યા!!? વધુમાં ભૂપેશ બઘેલે કહ્યું કે "આવુ એટલા માટે બન્યુ છે કેમકે સચિન પાયલોટ અને ઓમર વચ્ચે સાળા-બનેવીના સંબંધ છે અને સચીન પાયલોટ ને ફોડવાં માટે જ બીજેપીએ ઓમર અબ્દુલ્લા સામે નરમાઈ વર્તી છે."

ઓમર અબ્દુલ્લાએ છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલના જવાબ માં કહ્યું કે, "તેઓ આવા ખોટા, પાયા વિહોણા આરોપો સાંભળીને કંટાળી ગયા છે, સચિન પાયલોટ રાજસ્થાનમાં જે પણ કરી રહ્યા છે, તેની સાથે ફારૂક અબ્દુલ્લા અથવા તેમને ક્યાંય પણ કોઈ વાતે લેવા દેવા નથી. આથી જ આ કેસમાં મારાં વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરશે…"

જણાવી દઈએ કે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે. આથી તેઓ અબ્દુલ્લા ફેમિલી ના જમાઈ થાય છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version