Site icon News Continuous Bureau | Mumbai

તિરૂપતી બાલાજી મંદિરને એક જ દિવસમાં ૭.૬ કરોડનું રેકોર્ડબ્રેક હૂંડી દાન

આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસનું આ સૌથી મોટુ દાન છે. આ પૂર્વે ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ૬.૩ કરોડના સર્વોચ્ચ દાનનો રેકોર્ડ હતો.

On New Year, Tirumala temple hundi receives highest ever single day donation of Rs 7.6 crore

તિરૂપતી બાલાજી મંદિરને એક જ દિવસમાં ૭.૬ કરોડનું રેકોર્ડબ્રેક હૂંડી દાન

News Continuous Bureau | Mumbai

દેશમાં સૌથી વધુ ધન-સંપતિ ધરાવતા મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવતા તથા લાખો લોકોના શ્રધ્ધાના કેન્દ્ર સમા તિરૂપતિ બાલાજી મંદિરમાં એક જ દિવસમાં ૭.૬ કરોડના દાનનો રેકોર્ડ સર્જાયો છે. આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસનું આ સૌથી મોટુ દાન છે. આ પૂર્વે ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ૬.૩ કરોડના સર્વોચ્ચ દાનનો રેકોર્ડ હતો. તેના કરતા સોમવારે ૧.૩ કરોડ વધુ મળ્યા હતા. નવા કેલેન્ડર વર્ષે તિરુપતી બાલાજીના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા હતા. ૩૧મી ડીસેમ્બરની મધરાતથી જ ભાવિકોએ લાઇનો લગાવી દીધી હતી. ગત એપ્રિલમાં કોવિડ નિયંત્રણો દુર કરવામાં આવ્યા બાદ દર મહિને દાનના પ્રવાહમાં સતત વધારો થઇ રહયો જ હતો. તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે. ૨૦૧૨થી ૨૦૨૨ના દસ વર્ષમાં દાન કલેક્શન ડબલ થઇ ગયું છે. દેશના અન્ય જાણીતા મંદિરોમાં દર મહિને સરેરાશ ૪ કરોડનું દાન મળે છે જ્યારે તિરુપતિ બાલાજી મંદિરની સરેરાશ દૈનિક દાન આવક ૬ કરોડ છે. કોરોના કાળ પૂર્વે દર મહિને હૂંડીદાન ૯૦ થી ૧૧૫ કરોડ હતું. ગત એપ્રિલ બાદ તેમાં મોટો વધારો થઇ રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષનું હુંડીદાન ૧૫૦૦ કરોડને આંબવાનું અંદાજવામાં આવે છે. છેલ્લા વર્ષોનું હુંડીદાન ૨૦૧૭-૧૮ —– ૯૯૦.૯૭ કરોડ ૨૦૧૮-૧૯ —– ૧૦૫૨.૪૫ કરોડ ૨૦૧૯-૨૦ —– ૧૦૯૫ કરોડ ૨૦૨૦-૨૧ —– ૫૪૫.૯૫ કરોડ ૨૦૨૧-૨૨ —– ૮૩૮.૯૯ કરોડ ૨૦૨૨-૨૩ —– ૧૦૦૦ કરોડ (ડીસેમ્બર સુધી)

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં લિફ્ટ ક્રેશ થઈ: હાઈરાઈઝ ઇમારતમાં લિફ્ટ પડી જવાથી 20 વર્ષીય યુવકનું કરૂણ મોત

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version