Site icon

મહારાષ્ટ્રનું આ શહેર હવે ઓળખાશે ‘ધારશિવ’ તરીકે, કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરોના નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. આ જ ક્રમમાં ઉસ્માનાબાદનું નામ 'ધારાશિવ' કરવામાં આવ્યું છે.

thane borivali underground clears way high court dismisses lt plea

થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ રોડ મોકળો થયો, બોમ્બે હાઈકોર્ટે આ એન્જીનીયરીંગ કંપનીની અરજી ફગાવી..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરોના નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. આ જ ક્રમમાં ઉસ્માનાબાદનું નામ ‘ધારાશિવ’ કરવામાં આવ્યું છે. જો કે, ઔરંગાબાદનું નામ બદલીને ‘સંબાજીનગર’ કરવાની પ્રક્રિયા હજુ વિચારણા હેઠળ છે. નામ બદલવાના મુદ્દે કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી આપી છે.

Join Our WhatsApp Community

કાર્યવાહક ચીફ જસ્ટિસ જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે ગયા મહિને કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું તેને મહારાષ્ટ્ર સરકાર તરફથી ઉપરોક્ત બે શહેરોના નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો છે અને જો તેમ છે, તો શું દરખાસ્ત સ્વીકારવામાં આવી છે. બુધવારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્રને રાજ્ય સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઉસ્માનાબાદનું નામ બદલવાની વાત છે, કેન્દ્રએ 2 ફેબ્રુઆરીએ જ રાજ્ય સરકારને જાણ કરી હતી કે તેને કોઈ વાંધો નથી. પરંતુ ઔરંગાબાદનું નામ બદલવાના પ્રસ્તાવ પર કેન્દ્રએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રના નિવેદનને સ્વીકારીને કોર્ટે કેસની સુનાવણી 27 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.

જુલાઈ 2022માં ઔરંગાબાદનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નામ ‘ધારાશિવ’ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોએ દાવો કર્યો છે કે આ નિર્ણય બે સમુદાયો વચ્ચે તિરાડ પેદા કરવાનો પ્રયાસ છે.

આ સમાચાર પણ વાંચો : ઇન્વેસ્ટર્સ ટેન્શન ના લે, લોન ચૂકવવા પુરતા રૂપિયા છે, ગ્રોથ પર હજુ પણ અમારું ફોકસ… અદાણી ગ્રુપનું મોટું નિવેદન

મહા વિકાસ આઘાડીના શહેરોના નામ રાખવાનો પ્રસ્તાવ

અગાઉ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલવાનો પ્રયાસ થયો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારે રાજકીય લાભ માટે તેની કેબિનેટની છેલ્લી બેઠકોમાં આ બે શહેરોના નામ ગેરકાયદેસર રીતે પ્રસ્તાવિત કર્યા હતા. ત્યારબાદ 16 જુલાઈ, 2022ના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકારે આ નામકરણને મંજૂરી આપી.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Exit mobile version