Site icon

સુરતના આ વિસ્તારમાં થશે પાનના ગલ્લા બંધ, કોરોનાને કાબુમાં લેવા મનપાનું ફરમાન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુલાઈ 2020

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે દેશમાં ગુજરાત દર્દીઓને મામલે પ્રથમ નંબરે હતું ..છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ બાદ હવે સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેને પગલે સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કરીને,  3 ઝોનમાં પાન-મસાલાનાં ગલ્લાઓ પર સુરત કોર્પોરેશને પ્રતિબંધ લગાવી દીધો છે.

સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવાના આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જે જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને વરાછ-બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. આ સાથે જ સુરતના અન્ય ઝોનમાં પાનની દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકે.

આ બીજુ સુરતનાં પગલે રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે અને આવું રોગચાળાને કાબુમાં લેવાનાં સાવચેતીના ભાગરૂપે મનપા નિર્ણય લઇ શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version