Site icon

Western Railway:પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન

Western Railwayપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Partial change in timing of arrival and departure of three trains at some stations by Western Railway

Partial change in timing of arrival and departure of three trains at some stations by Western Railway

News Continuous Bureau | Mumbai  

Western Railwayપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે :-
1. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ વિરમગામ જંકશન 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક તથા ચાંદલોડિયા બી કેબિન પર 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાક રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40 કલાકને બદલે 5.50 કલાકે પહોંચશે. 
2. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદર સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકને બદલે 03.30/03.32 કલાકે, થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે તથા સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાક રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 
આ સમાચાર પણ વાંચોઃModi, Biden talk Ukraine:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતી સાથે ફોન પર વાત કરી.
3. તારીખ 04.09.2024 થી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસનો રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકે રહેશે. 
ઉપરોક્ત સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community
Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Exit mobile version