Site icon News Continuous Bureau | Mumbai

પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજનીતિ માં મોટું માથું ગણાતા અને હાલ કેન્દ્ર સરકારમાં પરિવહન મંત્રી ની જવાબદારી નિભાવનાર નીતિન ગડકરી(Union Minister Nitin Gadkari)એ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે પાંચ વર્ષ પછી ભારત દેશની અંદર પેટ્રોલ(Petrol) નહીં મળે. તેઓ આકોલા(Akola) ખાતે કૃષિ વિદ્યાપીઠ ના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. આ સમયે તેમને ડોક્ટરની ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત જન સમુદાય સામે તેમણે પેટ્રોલના વધી રહેલા ભાવ સંદર્ભે વક્તવ્ય આપતા કહ્યું કે આગામી પાંચ વર્ષની અંદર ભારત(India) દેશમાંથી પેટ્રોલ હદપાર થશે. જે રીતે ઇલેક્ટ્રિક વાહનો(electrick vehicle)નું ચલણ આગળ વધી રહ્યું છે તેમ જ ભારત દેશમાં વીજળી ઉત્પાદન વધશે તેનાથી લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ આગળ વધશે અને પેટ્રોલની ખપત ઓછી થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં- મહારાષ્ટ્રના અનેક નેતાઓની દિલની ધડકન વધી ગઈ- મોવડી મંડળની હાજરીમાં આ વાત નક્કી થશે

ઉલ્લેખનીય છે કે આજે પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો પરેશાન છે. પરંતુ બે પૈડાના વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનો મોટી સંખ્યામાં રસ્તા પર આવી રહ્યા છે. આગામી એક અથવા બે વર્ષની અંદર ભારત દેશમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન થશે અને લોકો તેને વાપરશે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version